Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરાઈ, લૂંટારાઓએ ઘરમાં ઘૂસીને ફાયરીંગ કર્યું

Webdunia
શનિવાર, 21 જાન્યુઆરી 2023 (19:10 IST)
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. એટલાન્ટા સિટીમાં રહેતા કરમસદના યુવકની ફાયરીંગ કરીને હત્યા કરાઈ છે. આ ઘટનાથી તેના વતનમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રણ શખ્શોએ આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે એટલાન્ટા સિટીમાં ગુજરાતી પરિવારના 3 લોકો ઉપર લૂંટના ઇરાદે લૂંટારુએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો.

આ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કરતા કરમસદના 52 વર્ષીય પીનલભાઈ પટેલને ગંભીર ઇજા થવા પામી હતી. તેમને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે ઘરમાં ઘુસેલા અશ્વેત લૂંટારુઓએ ફાયરિંગ કરીને રુપલબેન પીનલભાઈ પટેલ અને ભક્તિ પીનલભાઈ પટેલ ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. આ અગાઉ 17 જૂન 2022ના રોજ આણંદ જિલ્લાના સોજીત્રા ગામના વતની પ્રેયર્સ પટેલની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન અમેરીકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં તેઓ રાત્રે કામ કરી રહ્યા હતા આ દરમિયાન ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે ઘુસાલે શખ્સોએ ગોળીઓ વરસાવી હતી હતી. જે  ગોળીબારમાં બે કામદારો મોતને ભેટ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યા પોલીસની તપાસ દરમિયાન સ્ટોરની અંદર બે માણસોને બંદૂકની ગોળી વાગી હતી. જેમને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments