Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surat Crime - સુરતમાં રૂમમાંથી પતિ ફાંસો ખાધેલી​​​​​​​ અને પત્ની સૂતેલી હાલતમાં મૃત મળી, પત્નીની હત્યા બાદ પતિના આપઘાતની આશંકા

Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (15:00 IST)
સુરતના પાંડેસરામાં રૂમમાંથી પતિ-પત્નીના રહસ્યમય સંજોગોમાં કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પતિ ફાંસો ખાધેલી હાલતમાં અને પત્નીનો મૃતદેહ સૂતેલી હાલતમાં મળી આવતા પતિએ પત્નીની હત્યા બાદ પોતે આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે બન્નેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

બિહારના સિતામઢીના મોતીપુરના વતની અને પાંડેસરામાં રહેતા રંજીતકુમાર શાહ(26) અને તેમની પત્ની સુશીલાકુમારી(25) છેલ્લા 2 મહિનાથી પાંડેસરામાં રહેતા હતા. છેલ્લા 2-3 દિવસથી તેમનો રૂમ બંધ રહેતા દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દરવાજો તોડી તપાસ કરતા રંજીતકુમારનો ફાંસો ખાધેલી હાલતમાં અને પત્ની સુશીલાકુમારીનો રૂમમાં સૂતેલી હાલતમાં રહસ્યમય સંજોગોમાં કોહવાઈ ગયેલા મૃતદેહ મળ્યા હતા. રૂમના દરવાજાને પણ અંદરથી તાળું મારેલું હતું. રૂમમાંથી તેમની પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે બન્નેની ઓળખ થઈ હતી.2 મહિનાથી રહેવા માટે આવેલા રંજીત અને તેની પત્ની રૂમની બહાર બહું ઓછું નિકળતા હતા. તે કોઈ કામધંધો કરતો હતો કે કેમ તે પણ પાડોશીઓ જાણતા ન હતા અને તેમના નામ પણ જાણતા ન હતા. બન્ને પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેમની ઓળખ થયા બાદ વતનમાં રહેતા સંબંધીનો પોલીસે સંપર્ક સાધ્યો હતો. જોકે નજીકનું કોઈ પરિચીત વ્યક્તિ સુરતમાં રહેતું હોય તેવું હજી સુધી કોઈ સામે આવ્યું નથી.દંપતીના મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હોવાથી અને 3થી 4 દિવસ પહેલા મોત નીપજ્યું હોવાથી બન્નેએ સાથે આત્મહત્યા કરી કે પછી પતિએ પત્નીની હત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું. જેથી બન્નેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. ફોરેન્સીક પોસ્ટમોર્ટમ બાદ પત્નીની હત્યા થઈ છે કે તેણે પણ આપઘાત કર્યો છે તે સ્પષ્ટ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments