Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકને થઈ ગયા છે ઝાડા તો ખવડાવો આ આહાર

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2017 (15:49 IST)
બહુ નાના બાળકોને ઘણી વાર  ઝાડાની સમસ્યા થઈ જાય છે. જેના કારણે ઘણી પરેશાની સહન કરવી પડે છે. તેથી ઘણી વાર બાળક કઈ પણ ખાવાની ના પાડે છે જેનાથી શરીરમાં નબળાઈ આવવાનો  ડર રહે છે. ઝાડાના કારણે બાળકોના શરીરમાં પાણી અને મીઠાની કમી થઈ જાય છે. જેના કારણે બાળકનું શરીર ઢીલું પડી જાય છે.તેથી તેને ખાવામાં હલકુ ફુલકુ આપવું જોઈએ. બાળકોમાં ઝાડા લાગવાના ઘણા કારણ હોઈ શકે છે. આવો જાણીએ તેના કારણ અને તેને દૂર કરવા માટે બેસ્ટ આહાર 
ઝાડાના કારણ  
*નાના બાળકોને હમેશા પેટમાં દુખાવાકે ખાંસી-ઉંઘરસ થતા રહે છે. જેના કારણે તેને ઘણા એંટીબાયોટિક દવાઓ લેવી પડે છે. આ દવાઓ બાળકોની એક સમસ્યા તો ઠીક કરી નાખે છે પણ ઘણી વાર તેનાથી ઝાડાની પરેશાની થઈ જાય છે. 
 
* 5-6 મહિનાનાનો  બાળક જ્યારે ફર્શ પર બેસીને રમવાનું શરૂ કરે છે તો હમેશા તે તેમના રમકડા અને બીજી  હાથમાં આવતી વસ્તુઓ મોઢામાં નાખી દે છે. આ કારણે તેને પેટમાં ઈંફેક્શન થઈ જાય છે અને ઝાડાની સમસ્યા થઈ જાય છે. 
 
* વધારે ગરમીના કારણેથી પણ બાળકોમાં ઝાડાની સમસ્યા થઈ જાય છે. તે સિવાય ખરાબ પાચન શક્તિના કારણે પણ આ પરેશાની થઈ શકે છે. 

જાડા ઠીક કરવા માટે જરૂરી આહાર
 
1.એપ્પલ સૉસ- બાળકો ને સફરજનની પ્યૂરી બનાવીને આપવાથી ઝાડાથી રાહત મળે છે. તેના માટે સફરજનને છોલી અને કાપીને પાણીમાં નાખો. આ પાણીને સફજનને પાકતા સુધી ગર્મ કરો. આ પાકેલા સફરજનને મસલીને પ્યૂરી બનાવીને ખવડાવવાથી ફાયદો હોય છે. તે સમયે સફરજનના જ્યૂસ ક્યારે ન પીવું. 
 
2. અરારોટ્ના હલવા - 1 વર્ષ કે તેનાથી મોટા બાળકોને ઝાડા થતા અરારોટના હલવો આપવું જોઈએ. તેના બનાવા માટે 1 ચમચી અરારોટમાં થોડું પાણી મિક્સ કરી સારી રીતે ઘોલવું જેથી કોઈ ગાંઠ ન રહી જાય. તેને ધીમા તાપ પર રાંધવા માટે મૂકી દો. થોડી વાર રાંધ્યા પછી તેમાં દહીં અને છાશ અને થોડું મીઠું મિક્સ કરી સારી રીતે હલાવો. તેને દિવસમાં એક વાર બાળકને ખવડાવાથી ફાયદો હોય છે. 
 
3. લીંબૂના રસની ચા-પાણીમાં ચાપત્તી નાખી થોડીવાર ઉકાળો અને ગાળીને તેમાં અડધા લીંબૂ મિક્સ કરો. તેને પીવડાવવાથી ઝાડાની સમસ્યા ઠીક થઈ જાય છે. શરીરમાં ગરમી પડી જવાથી

4. છાશ- છાશ પીવું ખૂબ ફાયદાકારી હોય છે. જાડામાં તેના સેવનથી બાળકોને ખૂબ આરામ મળે છે. છાશમાં મીઠું અને જીરું પાવડર મિકસ કરી પીવાથી બહુ લાભ હોય છે. 

5. માતાનો દૂધ- વધારે નાના બાળકને ઝાડાની સમસ્યાને દૂર કરવા માટે માતાનો દૂધ સૌથી સરસ આહાર છે. બાળકને હાઈટ્રેટ રાખવા માટે તેમાં બધા પોષક તત્વ હોય છે. 
 
6. દહીં- આ સમસ્યામાં બાળકો હોય કે મોટા માણસ બધાને દહીં ખવડાવી જોઈએ. 7-8 મહીના કે તેનાથી મોટા માટે આ સરસ આહાર છે. એવામાં હમેશા ઘરમાં જામેલું તાજું દહીં જ ખવડાવું ફાયદાકારી હોય છે. 
 
7. દાળનો પાણી- દાળના પાણીના સેવન કરવાથી પણ ઝાડાની સમસ્યાથી રાહત મળે છે. તેના માટે પીળી દાળના ઉપયોગ કરવું સરસ રહે છે. 
 
8. ગાજર-  ઝાડા લાગતા પર બહુ નબળાઈ આવી જાય છે. એવામાં તેને ઉર્જા આપવા માટે બાફેલા ગાજરને મસલીને સેવન કરાવું જોઈએ. 
 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

આગળનો લેખ
Show comments