Webdunia - Bharat's app for daily news and videos

Install App

AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોના પેન્શન સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1.50 લાખ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરશે

Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2022 (16:47 IST)
રાજ્યમાં સરકારી કર્મચારીઓ પેન્શન સહિતના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યાં છે. આજે આંબેડકર જ્યંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો સારંગપુર ખાતેની પ્રતિમા પાસે એકઠા થઈ વિરોધ કરી રહ્યાં હતાં. વિરોધ કરી રહેલા શિક્ષકોને પોલીસે રોક્યાં હતાં.

અમદાવાદના સારંગપુરમાંવ શિક્ષકો ભેગા થઈ બેનર સાથે પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યાં હતાં. શિક્ષકોની માંગ છે કે તમામ શિક્ષકોને જુની પેન્શન યોજના પ્રમાણે પેન્શન આપવામાં આવે. જિલ્લાના શિક્ષકોની જેમ 4200 ગ્રેડ પે આપવામાં આવે અને સાતમા પગાર પંચના લાભ તાત્કાલિક ધોરણે આપવામાં આવે. શિક્ષકો રોડ પર વિરોધ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને રોકીને વિરોધ પ્રદર્શન કરતાં અટકાવ્યાં હતાં.અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે પેન્શન સહિતના લાભ ન મળે તો શિક્ષકોને મુશ્કેલી પડે છે. સમાન કામ છે છતાં શિક્ષકોના વેતનમાં ફેરફાર છે. અમારી માંગણીઓને લઈને અમે રજુઆત કરી છે છતાં માંગણીઓ પુરી નહીં થાય તો રાજ્યના 1.50 લાખ શિક્ષકો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Collector Salary:કલેક્ટરનું કામ સત્તા અને હોદ્દાનું, જાણો કેટલો છે પગાર, શું છે સુવિધાઓ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

મહારાષ્ટ્રના પુણેમાં દુ:ખદ અકસ્માત, પાણીની ટાંકી ધરાશાયી થવાથી 5 મજૂરોના મોત; ઘણા ઘાયલ

આગળનો લેખ
Show comments