Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પરપ્રાંતિય મજૂરોએ કરી તોડફોડ, વાહનોને લગાવી આગ

Webdunia
શનિવાર, 11 એપ્રિલ 2020 (10:29 IST)
લોકડાઉનના લીધે સુરતમાં ફસાયેલા અનેક પરપ્રાંતિય મજૂરોએ શુક્રવારે રાત્રે તોડફોડ કરી અને વાહનોને આગ લગાવી દીધી. આ સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું કે આ લોકો પોતાના ઘરે પરત ફરવા માટે વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે અને પોતાનો પગાર પણ જલદી ચૂકવવાની માંગ કરી રહ્યા છે. 
લોકડાઉન દરમિયાન નવરા બેસેલા શ્રમિકોએ શુક્રવારે સુરતમાં બે સ્થળો પર હોબાળો મચાવ્યો હતો. ડાયમંડ બુર્સમાં નિર્માણ અને લસકાનમાં વણકરો રસ્તા પર ઉતર્યા હતા. તેમનું કહેવું હતું કે લોકડાઉન યથાવત રહેશે તો ગુજરાત કેવી રીતે ચાલશે. કામ શરૂ કરાવવામાં આવે તો ઘરે જવા દેવામાં આવે. વણકરોએ શાકભાજીની 5 લારીઓને આગ લગાવી દીધી. અને ટાયર પણ સળગાવ્યા. એમ્બુલન્સમાં તોડફોડ કરી અને રાહદારીઓની ગાડીઓને નુકસાન પહોંચાડ્યું. 
સુરતના ડીસીપી રાકેશે બારોટે જણાવ્યું કે સુરતમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોએ રસ્તો જામ કર્યો અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોની ધરપકદ કરી છે. આ તમામ લોકો ઘરે પરત જવાની માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments