Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાળી સાથેના અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીને કચરામાં ફેંકી

બે દિવસ પહેલા પ્લાસ્ટિકની થેલીમાં નવજાતને ફેંકનાર પિતા ઝડપાયો

Webdunia
શનિવાર, 30 ઑક્ટોબર 2021 (15:18 IST)
પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દેવાની ઘટનામાં સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી જોડે અનૈતિક સંબંધો હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય રજનીશની સાળી જોડે આડાસંબધોમાં તેને ગર્ભવતી બનાવી દીધી હતી. સાળી સાથેના સંબંધોની પોલ ખુલ્લી ન પડે તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચિન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સાથે રહેતો હતો.
 
ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં સાળીને લઈ ગયો પણ ત્યા પરિવારની માહિતી માંગતા ત્યાથી નીકળી ગયા. આમતેમ ફરતા સાળીની ડિલીવરી રસ્તામાં જ થઈ જવા ગઈ,  તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તેણે પ્લાસ્ટિકની થેલીમાં નવજાતને પાંડેસરામાં કચરાના ઢગલામાં ફેંકી દીધી. પોલીસ પૂછપરછમાં જ્યારે સાળીએ મેડિકલ તપાસ કરવાની ના પાડી તો ભાંડો ફૂટી ગયો. 
 
ઉલ્લેખનીય છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ પહેલાં કચરાના ઢગલા પરથી પ્લાસ્ટિકની થેલીમાં લોહીથી ખરડાયેલી હાલતમાં ફેંકી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી.  રડી રહેલી બાળકીનો અવાજ રાહદારીના કાને આવતાં નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી. તબીબોના જણાવ્યા પ્રમાણે, ત્યજી દેવાયેલી બાળકી ઘરે જ જન્મી હોવાનુ જણાયુ. જન્મ બાદ નાળ કાપી દોરો બાંધવામાં આવ્યો છે. 
 
મશીન ઓપરેટર ભરત ઠાકોરે જણાવ્યું હતું કે થેલીમાં બાળકી લોહીથી લોથપોથ હાલતમાં હતી. રિક્ષાવાળાની ચાદરથી સાફ કરી સિવિલ લઈ આવ્યા હતા. જોકે આ બાબતે 108ના EMTએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે EME (સુપરવાઇઝર)એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. ભરત ઠાકોરે જણાવ્યું હતું કે સાહેબ, હું તો શ્રમજીવી છું, નોકરી પર જતો હતો. ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિરે સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો ત્યારે કોઈ બાળકીના રડવાના અવાજ આવતાં હું ઊભો રહી ગયો હતો. બસ, આમ તેમ નજર કર્યા બાદ કચરાના ઢગલામાં પડેલી એક થેલીમાં હલનચલન થઈ  રહ્યું હતું. ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી હાલ બાળકની હાલત સાધારણ હોવાનું કહી શકાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments