Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ વાવાઝોડાની અસર : 37 તાલુકાઓમાં અડધાથી બે ઇંચ વરસાદ

Webdunia
ગુરુવાર, 13 જૂન 2019 (12:38 IST)
રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. સવારે ૮.૦૦ વાગે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૭ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧૨ મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને ૪૫ મી.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.  રાજ્યના કુલ ૧૦૮ તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે. 
 
રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે ૮.૦૦ વાગે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાઓના ૧૦૮ તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ૪૫, સરસ્વતી તથા હારિજમાં ૧૬, પાટણમાં ૧૮, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ૩૩, પાલનપુરમાં ૧૭, દિયોદરમાં ૧૪, દાંતા અને ડિસામાં ૧૨-૧૨, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ૪૩, હિંમતનગરમાં ૩૪, ઇડરમાં ૨૨, ખેડબ્રહ્મામાં ૨૧, તલોદમાં ૨૧, વડાલીમાં ૧૮ અને ૧૬ મી.મી., મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ૩૮, વિસનગરમાં ૩૬, વડનગરમાં ૨૧, મહેસાણામાં ૨૨ અને ઉંઝામાં ૧૧ મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં ૩૩ અને કલોલમાં ૨૪ મી.મી. વરસાદ નોંધાયો છે. 
 
સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં ૧૬ મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૨ મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૦ મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૨૫ મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૧૪ મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૧૨ મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૧ મી.મી. તથા જામનગર તાલુકામાં ૨૬મી.મી. વરસાદ નોંધાયો છે. 
 
આ સાથે રાજ્યના મધ્ય તથા દક્ષિણ ગુજરાતની વરસાદની સ્થિતિ વિશે માહિતી મેળવી લઇએ. ખેડા જિલ્લાના કઠલાલમાં ૧૩ મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં ૨૭ મી.મી. અને સોનગઢમાં ૧૫ મી.મી., જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૩૮ મી.મી. વરસાદ વરસ્યો હતો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments