Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (13:56 IST)
નિઝામપુરા વિસ્તારના 52 વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19 માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પછી તેમના પરિવારના 4 સભ્યોનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.
વડોદરાના ભાયલી ગામના રહેવાસી અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. 10 દિવસ પહેલા છીતુભાઈ પટેલ અને તેમની પત્ની મંજુલાબેન પટેલ કોરોના વાઈરસની મહામારીમાં સપડાયા હતા. બંનેની શિકાગો ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન છીતુભાઈ પટેલનું 31 માર્ચે મોડી રાત્રે કોરોના વાઈરસથી મૃત્યુ થયું હતું. જેના કારણે અમેરિકાના ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી. તો બીજી તરફ છીતુભાઈની પત્ની મંજુલાબેનની હાલત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments