Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં વધુ બે પોઝિટિવ કેસ સાથે કુલ કેસ 12 થયા, સુરતમાં આંકડો 17 પર પહોંચ્યો

Webdunia
સોમવાર, 6 એપ્રિલ 2020 (14:08 IST)
વડોદરામાં કોરોના વાઈરસથી આજે વધુ એક મોત થયું છે. શ્રીલંકાના પ્રવાસે પરત ફરેલી મહિલાનું કોરોના વાઈરસથી મોત થયું છે. જેથી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી 2 લોકોના મોત થયા છે.વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરના 62 વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી 18 માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરામાં કોરોના વાઈરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતુ અને આજે એક મહિલાનું મોત થયું છે. વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, એક 15 વર્ષની ઉંમરના કિશોર અને 27 વર્ષની ઉંમરના યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 12 થઇ ગઇ છે. આ લોકોના સેમ્પલ ગઇકાલે લેવામાં આવ્યા હતા. એમને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે . જ્યારે શહેરમાં આજે વધુ એક રાંદેરના 52 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ નીપજયા હતા. જે પૈકી એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એક વ્યક્તિનો રિપોર્ટ આવવાનું હજી બાકી છે. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર અને કડોદરા વિસ્તારના શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતા બે વ્યક્તિઓના સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બેના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિંબંધ મૂકી કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments