Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં મમતા દિવસના બહાના હેઠળ સપ્તાહમાં 5 દિવસ જ રસીકરણ, બુધવાર-રવિવાર રજા

Webdunia
ગુરુવાર, 15 જુલાઈ 2021 (09:21 IST)
રાજ્ય સરકારે મોટા ઉપાડે ચાલુ કરેલા રસીકરણ મહાઅભિયાનની ગતિ હવે ધીમી પડી છે. એક તરફ ત્રીજી લહેર અગાઉ વધુમાં વધુ વસતીને રસી આપવાની જાહેરાતો થાય છે અને બીજી તરફ ગુજરાતમાં અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દર બુધવારે મમતા દિવસ, રવિવારે આરોગ્યકર્મીઓને આરામનું બહાનું કાઢી સરકાર રસીકરણ મહાઅભિયાનથી હાથ ખંખેરી રહી છે.

રાજ્યમાં અત્યાર સુધી 2.85 કરોડનું રસીકરણ થયું છે જેમાં 2.19 કરોડને પહેલો 65 લાખને બંને ડોઝ અપાયા છે. 18 વર્ષથી વધુની રસી માટે માન્ય 4.93 કરોડ વસતીમાંથી 44%ને પહેલો અને 13%ને બંને ડોઝ અપાયા છે. 18 વર્ષ ઉપરના 2.74 કરોડને પહેલો અને 4.8 કરોડ વસતીને બીજો ડોઝ બાકી છે. આ લોકોના રસી આપવામાં હજુ સરેરાશ 8 મહિનાનો સમય લાગે એમ છે.રાજ્યમાં 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે. મંગળવારે 31 કેસ નોંધાયા હતા. 23 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે. અગાઉ 22 જૂને 135 કેસ હતા. જે બીજા દિવસે એટલે કે 23 જૂને વધીને 138 થયા હતા. મંગળવારે રાજ્યના 7 કોર્પોરેશન વિસ્તાર અને 11 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. બીજા વેવમાં રાજ્યમાં સતત ચોથીવાર 50થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.69 ટકા થયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8,24,351ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,074 થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments