Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, મુખ્યમંત્રી સહિત નેતાઓએ વ્યક્ત કરી શોકની લાગણી

Webdunia
સોમવાર, 13 ડિસેમ્બર 2021 (10:36 IST)
આજે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનું નિધન થયું છે. આશાબેન પટેલને ડેંગ્યું બાદ લીવર ડેમેજ થયું હતું જેને લીધે તબિયત વધુ ખરાબ થતાં બે દિવસ પહેલાં તેમને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આજે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી રાજકીય આગેવાનો - કાર્યકરો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોક ની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.  ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે  જનસેવા સાથે લોક પ્રશ્નો ના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે.મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે
 
તો બીજી તરફ સીઆર પાટીલે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે મહેસાણા જીલ્લાનાં ઊંઝાનાં ધારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલનાં દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. મારી સંવેદનાઓ એમનાં પરિવાર સાથે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments