Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-મુંબઈ હાઈવે ખેડા નજીક કાર ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત, બે વ્યક્તિઓનાં કમકમાટી ભર્યા મોત

Webdunia
બુધવાર, 1 ડિસેમ્બર 2021 (13:16 IST)
ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર વાત્રક નદીના પુલ પાસે આજે બુધવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ્યારે અન્ય એકનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.


આ બનાવના સંદર્ભે ખેડા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર વાત્રક બ્રીજ પાસે આજે બુધવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો. જ્યાં વડોદરા તરફ જતી કાર નં. (GJ 13 NN 3724)ના ચાલકે એકાએક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર સીધી હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ હતી.આ કારમાં ચાલક સહિત બે મહિલા અને બે પુરૂષો હતા. જેમાંથી એક કારમાં સવાર ઉદય મુકુંદભાઈ રાવલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ સિવાય કારમાં સવાર આનંદી ઉદય રાવલ અને મેહુલ પ્રકાશ જોશી ઈજાગ્રસ્ત થયાં હતાં.

ડિવાઈડર સાથે અથડાવાના લીધે આ કારના આગળના ભાગનો લોચો વળી ગયો હતો. જે જોતા કાર સ્પીડમાં હોવાનું મનાઈ રહ્યું છે.ઘટનાને પગલે ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે ખેડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી એકને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ ખેડા ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. કાર સુરેન્દ્રનગર જિલ્લાના પાર્સિંગની હોવાથી તેમજ સ્થળ પરથી મળેલા લાયસન્સ અનુસાર લોકો સુરેન્દ્રનગરના વતની અને જોશી પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું.આ તમામ લોકો સુરેન્દ્રનગરથી વડોદરા તરફ જતાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. જો કે ક્યાં જવાના હતા તેમજ અન્ય ચોક્કસ માહિતી ઈજાગ્રસ્તોના નિવેદન લીધા પછી જ માલુમ પડશે તેમ ખેડા ટાઉન પોલીસના પીઆઈએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments