Biodata Maker

અમદાવાદથી પસાર થતી 6 ટ્રેનો રદ, 8 ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું

Webdunia
સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:08 IST)
અમદાવાદ વિભાગમાંથી પસાર થતી 6 સ્પેશિયલ ટ્રેનોને રદ કરાઇ છે જ્યારે 8 ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી વિભાગમાં યાર્ડના રિમોડેલિંગનું કામ ચાલતું હોવાથી કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થનાર છે. જેના કારણે આ ટ્રેનોના મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. 23 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ  અને તા.૨૬ જાન્યુઆરીની ગાંધીધામ-કેએસઆર બેંગ્લોર રદ રહેશે.૨૩ જાન્યુઆરીની જોધપુર-કેએસઆર બેંગ્લોર અને 25 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 24 જાન્યુઆરીની અજમેર-મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરીની મૈસુર-અજમેર રદ રહેનાર છે.  આ ઉપરાંત કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન અપાયું છે.જેમાં 22 અને 24 જાન્યુઆરીની યશવંતપુર-બિકાનેર સ્પેશિયલ દાવનગેરે, અમરાવતી, કોટુરૂ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને જશે. પરતમાં પણ આ ટ્રેન આ રૂટેથી જ આવશે. 25 જાન્યુઆરીની યશવંતપુર-બાડમેર, 21 જાન્યુઆરીની બાડમેર-યશવંતપુર પણ ઉપરોક્ત વૈકલ્પિક રૂટેથી દોડશે. 22 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-અજમેર કુસુગલી અને નોવાલુરૂ થઇને દોડશે. પરતમાં 25 જાન્યુઆરીની આ ટ્રેન પણ આ જ વૈકલ્પિક રૂટેથી દોડશે. 27 જાન્યુઆરીની જોધપુર-કેએસઆર બેંગ્લોર અને 24 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-જોધપુર કુસુગલી તથા નાવોલુરૂના રૂટેથે સંચાલિત થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આગળનો લેખ
Show comments