Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદથી મુંબઈની ટ્રેનોમાં 80 % પેસેન્જર ઘટ્યા, 35 ફ્લાઇટ રદ

Webdunia
શુક્રવાર, 20 માર્ચ 2020 (13:22 IST)
કોરોના વાઇરસના પગલે અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટમાં 80 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સૌથી વધુ પેસેન્જરો 80 ટકાથી વધુ મુંબઈ અને 70 ટકાથી વધુ દિલ્હી તરફ જતી ટ્રેનમાં ઘટ્યા છે.
રેલવે અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ સ્ટેશને મુંબઈ રૂટની ટ્રેનોમાં ટિકિટ કેન્સલ કરાવનારા પેસેન્જરોની સંખ્યા 5 ગણીથી વધુ વધી ગઈ છે. રેલવે દ્વારા અનેક ટ્રેનો કેન્સલ કરાઈ છે. આ કેન્સલ થયેલી તમામ ટ્રેના પેસેન્જરોને રેલવે દ્વારા 100 ટકા રિફન્ડ આપવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બાદ હવે ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરાઈ છે, જેમાં અમદાવાદથી મુંબઈની 8, દિલ્હીની 7, બેંગલુરુની 2, હૈદરાબાદની 2, લખનઉની 2, ચંડીગઢની 2, પુણેની 2, વારાણસીની 2 સહિત અન્ય 35થી વધુ ફ્લાઇટ કેન્સલ કરાઈ છે.
વડોદરાના 6 લોકો સિંગાપુરથી પરત ફરતા મુંબઈ એરપોર્ટથી તેમને સીધા કોરન્ટાઈનમાં મૂકી દેવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ ગુરુવારે સવારે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં ભાગી નીકળ્યા હતા. મુંબઈથી ટ્રેન ઉપડ્યા બાદ પેસેન્જરોને જાણ થતાં તેમણે તત્કાલ ટીટીઈને જાણ કરી હતી. રેલવેએ આ તમામ 6 લોકોને બોરીવલી સ્ટેશને ઉતારી દીધા હતા. 
એ જ રીતે મુંબઈથી ઉપડેલી જમ્મુતાવી એક્સપ્રેસમાં પણ એક યુવક મુસાફરી કરતો હોવાની જાણ થતાં ટીટીઈએ સુરક્ષા જવાનોની મદદથી તેને ગોધરા સ્ટેશને ઉતારી દીધો હતો. આ ઉપરાંત અવંતિકા એક્સપ્રેસમાં મુસાફરી કરવા આવેલી કોરન્ટાઈનમાંથી ભાગેલી મહિલા ટ્રેનમાં ચઢે તે પહેલા જ મુંબઈ સ્ટેશન પરથી ઝડપાઈ ગઈ હતી.
 
 

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments