Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બીજી વખત ટ્રાફિક જામ, તરસાલી પાસે કન્ટેનર પાછળ બોલેરો ઘૂસી ગઈ

Webdunia
બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (12:20 IST)
Traffic jam on Ahmedabad-Mumbai National Highway for the second time
-  વડોદરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા 5 કિમીનો ટ્રાફિકજામ થયો
- તરસાલી-જામ્બુવા બ્રિજ વચ્ચે કન્ટેનર પાછળ બોલેરો પીકઅપ ઘૂસી જતા  ભારે  ટ્રાફિકજામ
- ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને ગાડીને હાઈવે પરથી હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો
 


અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિકજામ થવાની ઘટના વારંવાર બની રહી છે. અઠવાડિયા પહેલા જ વડોદરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા 5 કિમીનો ટ્રાફિકજામ થયો હતો. ત્યારે આજે ફરી વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ વડોદરા નજીક જ તરસાલી-જામ્બુવા બ્રિજ વચ્ચે કન્ટેનર પાછળ બોલેરો પીકઅપ ઘૂસી જતા 5 કિમીનો ભારે ટ્રાફિકજામ થયો હતો.

વાહનોની લાંબી લાઈન લાગતા લોકો નેશનલ હાઈવે પર કલાકો સુધી ફસાયા હતા. જોકે, હાલ ટ્રાફિક રાબેતા મુજબ છે.બોલેરો ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે. જોકે ડ્રાઈવરનો સદનસીબે બચાવ થયો હતો. જ્યારે કન્ટેનરનો ડ્રાઈવર કન્ટેનર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને ગાડીને હાઈવે પરથી હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો હતો.તરસાલીથી જામ્બુવા ચોકડી વચ્ચે બાલાજી પેટ્રોલ પંપ પાસે આજે વહેલી પરોઢે એક ટ્રકચાલક હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. બોલેરો પીકઅપ મહારાષ્ટ્રથી દ્રાક્ષ ભરીને વડોદરા આવી રહી હતી. ત્યારે હાઈવે પર અચાનક જ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેને પગલે આસપાસ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને આસપાસમાંથી વાહનચાલકો દોડી આવ્યા હતા.અકસ્માતના પગલે પીકઅપ ગાડીનો ડ્રાઈવર વિશાલ ગજેરા ગાડીમાં ફસાય ગયો હતો. જેને આસપાસના વાહનચાલકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સમાં તેને સારવાર આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments