Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં બુલેટ ટ્રેન સાઈટ પર દુર્ઘટનાથી આ 25 ટ્રેનો થઈ કેન્સલ, અનેક ટ્રેનોનો બદલાયો સમય

અમદાવાદમાં બુલેટ ટ્રેન સાઈટ પર દુર્ઘટનાથી આ 25 ટ્રેનો થઈ કેન્સલ  અનેક ટ્રેનોનો બદલાયો સમય
Webdunia
સોમવાર, 24 માર્ચ 2025 (14:09 IST)
bullet train
અમદાવાદની નજીક બુલેટ ટ્રેન પરિયોજના સ્થળ પર નિર્માણ માટે ઉપયોગમાં લેવામા આવનારુ સેંગમેંટલ લોંચિંગ ગેટ્રીએ દુર્ઘટનાને કારણે પોતાના સ્થાન પરથી હટી ગયુ જેને કારણે નિકટની રેલવે લાઈન પર અનેક ટ્રેનો અવરોધાઈ. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. 
 
અદાવાદના રેલવે મંડળના એક અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનાને કારણે ઓછામાં ઓછી 25 ટ્રેનો રદ્દ કરવામાં આવી અને 15 ટ્રેનોને આંશિક રૂપથી રદ્દ કરવામાં આવી. આ ઉપરાંત પાંચ ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો અને છ ટ્રેનોના માર્ગ બદલવામાં આવ્યા. રેલવે અધિકારીઓએ જણાવ્યુ કે પ્રભાવિત રેલવે લાઈનથી ગૈટ્રી હટાવવાનો પ્રયાસ ચાલુ છે જેથી ટ્રેનોની અવરજવર ચાલુ કરી શકાય. 
 
 એનએચએસઆરસીએલના એક અધિકારીએ જણાવ્યુ કે ક્રેનોની મદદથી રેલમાર્ગોની શરૂ કરવાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.  એનએચએસઆરસીએલના નિવેદન મુજબ ગઈકાલે રાત્રે લગભગ 11 વાગે વટવા (અમદાવાદની પાસે)  નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવનારી એક સેગમેંટલ લૉંચિગ ગૈટ્રી', કંક્રીટ ગર્ડર લૉંન્ચિંગ પૂરી કર્યા પછી પાછળ હટી રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના થઈ. 
 
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ આ ઘટના પાસેની રેલવે લાઈન પ્રભાવિત થઈ છે. એનએચએસઆરસીએલના વરિષ્ઠ અધિકારી, પોલીસ અને અગ્નિશમન વિભાગના અધિકારી ઘટનાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ દુર્ઘટનામા કોઈના ઘાયલ થવાની સૂચના નથી અને બનેલા માળખાને કોઈ નુકશાન પહોચ્યુ નથી.  
 
અમદાવાદ રેલ્વે ડિવિઝનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી વટવા અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર રેલ ટ્રાફિકને અસર થઈ હતી. રદ કરાયેલી ટ્રેનોમાં વટવા-બોરીવલી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, વડોદરા-વટવા ઇન્ટરસિટી, અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન, જામનગર-વડોદરા ઇન્ટરસિટી, વડનગર-વલસાડ-વડનગર એક્સપ્રેસ અને વટવા-આનંદ મેમુનો સમાવેશ થાય છે. અમદાવાદ-મજીઠિયા ચેન્નાઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ અને કેટલીક અન્ય ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
 
રેલવે અધિકારીઓએ મુસાફરોની મદદ માટે એક હેલ્પલાઈન નંબર પણ રજુ કર્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments