Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદેશમાં પુત્રીનું સુરક્ષા કવચ બની સરકાર, પતિના ત્રાસથી હેરાન થતી પીડિતાને સુરક્ષિત ઘરે પરત લવાઈ

Webdunia
શનિવાર, 26 ઑગસ્ટ 2023 (13:06 IST)
gujarat news
રાજ્યની બહેન-દીકરીઓને સુરક્ષિત રાખવા અને તેઓને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિરાકરણ લાવવા સરકાર સતત ચિંતિત રહે છે. પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દીકરીને સહી-સલામત રીતે ગુજરાત પરત લવાઈ છે. દીકરી ઘરે પરત ફરતાં પરિવારજનોએ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. ગુજરાતનાં વતની અશોકભાઈ ચૌહાણ વિદેશમાં ફસાયેલી પોતાની દીકરીને તેના પતિની કેદમાંથી છોડાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું કે, તેમની પરિણિત દીકરી જિનલબેન પોર્ટુગલ ખાતે તેના પતિ રાહુલ કુમાર વર્મા સાથે રહે છે. અહીં તેમની દીકરીને તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તે તેને નજરકેદમાં રાખીને સતત ટોર્ચર કરે છે. આ ઉપરાંત તેના પાસપોર્ટ સહિતનાં તમામ ડોક્યુમેન્ટ પણ તેના પતિએ જપ્ત કરી લીધા હતા. આ કારણોસર તેમની દીકરીને વિદેશમાં મળતી આ યાત્નાઓમાંથી મુક્ત કરાવવા અને ઘરે સુરક્ષિત લાવવા મદદ માગી.

આ રજૂઆત મળતાં જ ગૃહમંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક સાધ્યો અને તેઓના માર્ગદર્શન હેઠળ આ દીકરીને ગુજરાત તેના માતા-પિતા પાસે પરત લઈ આવવા કવાયત હાથ ધરી. કેન્દ્ર સરકાર સાથે પણ પરામર્શ કરી જરુરી સહયોગ આપવા વિનંતી કરી હતી. આ કાર્યવાહીમાં અરજદારને પણ રુબરુ બોલાવી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અરજદારની રજૂઆત બિનનિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇ-મેઇલથી મોકલી આપવામાં આવી હતી.

પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીનાં તા.14/08/2023નાં ઇ-મેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.​​​​​​​ આ સંદર્ભે અરજદારનાં તા.24/08/2023નાં ઇ-મેઇલથી તેઓની રજૂઆત પરત્વે તેઓની દીકરી હેમખેમ ગુજરાત પરત આવી ગઈ. સરકાર દ્વારા હાથ ધરાયેલ ત્વરિત કામગીરી માટે અરજદારે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર પણ વ્યકત કર્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments