Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્ય સરકારે નવા સી-પ્લેન માટે ટેન્ડર બહાર પાડી દીધું, 19 સીટર આ સી-પ્લેનમાં 12 મુસાફરો બેસી શકશે

Webdunia
બુધવાર, 29 ડિસેમ્બર 2021 (09:10 IST)
ગુજરાતમાં 2017ની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન ઉડાવીને ગુજરાતને એક નવા યુગમાં મુકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં રાજ્યમાં સી-પ્લેન એ એક સરકાર માટે પણ ચિંતા બની ગઇ હતી. અને અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટમાંથી કેવડીયા કોલોની સુધીની સી-પ્લેન યાત્રા કદી કાયમી બની ન શકી પરંતુ હવે રાજ્ય સરકારે નવા સી-પ્લેન માટે ટેન્ડર બહાર પાડી દીધું છે અને ટૂંક સમયમાં ફરી એક વખત સી-પ્લેન ઉડવા માંડશે તે નિશ્ચીત કરવા પ્રયત્ન કર્યો છે. જો કે અગાઉ સરકારે ટેન્ડર બહાર પાડ્યું હતું. પરંતુ ક્યાંય પૂર્ણ સફળતા ન મળતા રિ-ટેન્ડર કરાયું છે. 19 સીટર આ સી-પ્લેનમાં 12 મુસાફરોને બેસાડવામાં આવે છે અને એક તબક્કે 4800ની પ્રતિ પેસેન્જર ફી રખાઈ હતી પરંતુ હવે નવા સી-પ્લેન સાથે શરતો પણ નવી હશે અને તે વધુ આધુનિક હશે તેવું માનવામાં આવે છે. એક વખત આ સી-પ્લેન સેવા નિયમિત બને પછી રાજ્યના અન્ય વિસ્તારો કે જયાં નદીઓ અને મોટા તળાવો છે ત્યાં સી-પ્લેન સેવા શરુ કરવાની પણ તૈયારી છે.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments