Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુત્રોના ત્રાસથી પિતાએ કરી આત્મહત્યા

Webdunia
રવિવાર, 4 ફેબ્રુઆરી 2024 (12:10 IST)
- કેનાલમાં ઝંટલાવી પોતાનું જીવન સપ્ટેમ્બર 2023મા ટૂંકાવ્યું 
- માર ઝૂડ પણ કરી. વારંવારની માનસિક યાતના
-મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા.

અમદાવાદ- કળયુગ છે ભાઈ આ ઘટનાથી સાફ થઈ રહ્યો છે.  શહેરના નવરંગપુરામાં વૃદ્ધ મહિલાએ પોતાના જ સંતાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. બે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મકાન પચાવી પાડવા પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હતા.
 
અમદાવાદમાં મિલકત મેળવવાની લાલચમાં અંધ બનેલા પુત્રો અને પુત્રવધુઓએ સંબંધોને શર્મસાર કર્યા છે. 
 
આ ઉપરાંત માબાપને મળવા માટે ઘરમાં કોણ-કોણ આવે છે તે જોવા તેમણે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. એક દિવસે જતનબેનની તબિયત બગડતા બંને પુત્રોએ જણાવ્યું હતું કે ડોસો મરી ગયો, તું પણ મરી જા તો મકાન અમારા નામે થઈ જાય. બંને પુત્રો કહેતા તારો જીવ ના ચાલતો હોય તો તું કેનાલ પર ઊભી રહે અમે તને ધક્કો મારી દઇશું તેમ કહીને ત્રાસ આપતા હતા. 
 
મૃતક છગનભાઈ દેસાઈએ અડાલજ કેનાલમાં ઝંટલાવી પોતાનું જીવન સપ્ટેમ્બર 2023મા ટૂંકાવ્યું હતું જતનબેનના પતિ છગનભાઈ દેસાઈએ 11 સપ્ટેમ્બર 2023ના રોજ અડાલજ પાસે કેનાલમાં પડીને આપઘાત કર્યો હતો. જે મામલે જતનબેન દેસાઈએ કોર્ટમાં પણ અરજી કરી હતી. જેમાં તેમનો મોટો દીકરો દિપેશ દેસાઈ, તેની વહુ લલિતા અને નાનો દીકરો રમેશ અને તેની પુત્રવધુ સુરેખા અવારનવાર છગનભાઈને ત્રાસ આપી ધમકીઓ આપતા હતા અને પોતાનું મકાન તેઓના નામે કરી આપવા માટેની ધમકીઓ પણ આપતા હતા. જો મકાન તેઓના નામે નહીં કરી આપે તો તેમને ગમે ત્યારે મારી નાખી અને આપઘાત કરાવી દેવા જેવી ધમકીઓ પણ આપતા હતા, આટલું જ નહીં પરંતુ છગનભાઈની પાટણની મિલકતના દસ્તાવેજો પણ દીકરાઓએ લઈ લીધા હતા.
 
પુત્રવધુઓની વાતમાં  આવીને પુત્રોએ સગા માતાની પણ દરકાર ન કરી અને તેમની સાથે માર ઝૂડ પણ કરી. વારંવારની માનસિક યાતનાથી પીડાતા છગનભાઈએ પોતાની અને સમાજની વચ્ચે આ ત્રાસના કારણે આબરૂ ગુમાવી હોવાની પોતાની પત્નીને જાણ કરી હતી
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?

Jharkhand Election 2024 : બીજેપીની પહેલી લિસ્ટમાં અનેક દિગ્ગજોના નામ, જાણો કોણ છે રેસમાં અને કોનુ થશે પત્તુ સાફ

Sheikh Hasina શેખ હસીનાની સામે ધરપકડનું વૉરંટ

આગળનો લેખ
Show comments