Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, મહુવામાં કાર ઝાડ સાથે ટકરાતા 3ના મોત

Webdunia
મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (10:23 IST)
સુરતના મહુવામાં વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ૩ લોકોના મોત નીપજ્યાં હતાં.
 
જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કારમાં સવાર પાંચેય વ્યક્તિ મૂળ નવસારીના ચીખલીના હોવાનું સામે આવ્યું છે.
 
ઘટનાની વિગતો એવી છે કે, મારૂતી સુઝુકીની અર્ટીગા કાર નંબર ના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી ૩નાં મોત થયા છે જ્યારે બે લોકોને ઈજાઓ થતાં સારવાર માટે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments