Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોટીલામાં આધેડ બાદ મહિલાના મોતથી પોલીસ દોડતી થઈ, મોતનું રહસ્ય અકબંધ

Webdunia
શુક્રવાર, 7 એપ્રિલ 2023 (15:48 IST)
સુરેન્દ્રનગરના ચોટીલામાં એક કારમાંથી ગઈકાલે લોહીલુહાણ હાલતમાં એક આધેડ મળી આવ્યા હતા. બાદમાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં પોરબંદરમાં આધેડના ઘરની બાજુમાં પાડોશમાં રહેતી એક મહિલાની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી.

આ બનાવને લઈ આધેડના મોતનું રહસ્ય ઘેરાયું છે. જ્યારે મહિલાની લાશ મૃત આધેડના ઘરેથી મળી આવતાં પોલીસ પણ આ બે મૃતદેહને લઈને ગોથે ચડી છે. પોલીસ એફ.એસ.એલ અને સાયન્ટિફિક રીતે બંનેનાં મોતનાં રહસ્યો જાણવા માટે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહી છે.પોરબંદર શહેરમાં આવેલા નવી ખડપીઠ વિસ્તારમાં રહેતા અશ્વિન બળેજા તેની પત્ની કંચન બળેજા અને તેમની બે દીકરીઓ સાથે રહેતા હતા. ત્યારે અશ્વિનના જણાવ્યા અનુસાર તેની પત્ની કંચન કે જે પ્રેગનન્ટ હતી. તે બે દિવસ પહેલાં સવારે આંગણવાડીમાં જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ ઘરે પરત નહીં આવતાં અને તેનો ફોન પણ બંધ હોવાથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બાતમીને આધારે અશ્વિન બળેજાની નજીકના જ ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નો કે જે લિસ્ટેડ બૂટલેગર હતો. તે મુન્નાનું ઘર પણ બે-ત્રણ દિવસથી બંધ હોવાથી પોલીસે મામલતદાર સહિતની હાજરીમાં પંચનામું કરી તાળું તોડ્યું હતું. જ્યાં ઘરમાંથી લોહીમાં લથબથ હાલતમાં ગુમ થયેલાં કંચન બળેજાનો મૃતદેહ જોવા મળ્યો હતો.મૃતક મહિલાના પતિ અશ્વિન બળેજાએ જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા મુન્ના સાથે મારી પત્નીને બિલ્કુલ બનતું ન હતું. પાડાશી મુન્નો તેના દીકરા સાથે અહીં રહેતો હતો અને દારૂ વેચતો હતો. મારી ઘરવાળી તેનાથી ડરતી નહીં, એને કારણે મુન્નાને ખૂબ ગુસ્સો આવતો હતો. મૃતકના પતિએ તો આ મુન્ના પર અન્ય ગંભીર આક્ષેપો પણ કર્યા હતા કે આ મુન્નાએ આ વિસ્તારમાં સગીર વયની બે દીકરીઓ સાથે પણ ન કરવાનુ કર્યું હતું. મારી ઘરવાળીને પણ તેણે જ બળજબરીથી ઘરમાં લઈ જઇ તેનું મોત નીપજાવ્યું હશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. સાથે મહિલાના પતિએ મુન્નાના ઘરમાં CCTV લાગેલા હોવાની વાત કરતાં પોલીસે એ માર્ગે તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments