Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે

Webdunia
શુક્રવાર, 20 મે 2022 (08:44 IST)
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકી એક અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર સંપૂર્ણ ક્ષમતામાં બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ કોરિડોર સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. નીતિન ગડકરીએ ખાસ કરીને ટ્વીટ્સની શ્રેણીમાં જણાવ્યું હતું કે, બિકાનેરથી જોધપુર 277 કિમીના સેક્શનને આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરીને જાહેર જનતા માટે ખોલવાનું લક્ષ્ય છે.
 
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ફ્લેગશિપ 1,224 કિમી લાંબો અમૃતસર - ભટિંડા - જામનગર કોરિડોર કુલ રૂ. 26,000 કરોડના મૂડી ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે અને તે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત ચાર રાજ્યોના અમૃતસર, ભટિંડા, સાંગરિયા, બિકાનેર, સાંચોર, સામખિયાળી અને જામનગરના આર્થિક નગરોને જોડશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રીનફિલ્ડ કોરિડોરના નિર્માણ સાથે અમે દેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.
 
નીતિન ગડકરીએ કહ્યું કે કોરિડોર દેશના ઉત્તરીય ઔદ્યોગિક અને કૃષિ કેન્દ્રોને પશ્ચિમ ભારતના મુખ્ય બંદરો જેમ કે જામનગર અને કંડલા સાથે જોડશે. આનાથી બદ્દી, ભટિંડા અને લુધિયાણાના ઔદ્યોગિક પટ્ટાને સ્પર્સ દ્વારા અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે દ્વારા જોડતી ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપવામાં મદદ મળશે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ટ્રાન્સ-રાજસ્થાન કોરિડોર ટ્રાન્ઝિટ સમય અને ઇંધણના લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે, સ્પર્ધાત્મક વૈશ્વિક નિકાસ બજારમાં ઊંચો રહેવામાં મદદ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments