Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રાસવાદીઓની નજર હવે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હોવાથી પોલીસનું સઘન ચેકિંગ

Webdunia
સોમવાર, 18 ફેબ્રુઆરી 2019 (11:58 IST)
સમગ્ર દેશમાં જે ત્રાસવાદી કૃત્યથી લોકોના હૃદય કંપારી ઉઠયા છે તેવા કાશ્મીરમાં શહિદ જવાનોની શહિદી બાદ હવે નધણિયાતા ત્રાસવાદીઓનો ડોળો ગુજરાત પર મંડરાઈ રહ્યો હોવાની વાત પ્રકાશમાં આવી છે. પુલવામા આતંકી હુમલા બાદ સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબીએ ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમા જણાવામાં આવ્યું છે કે રાજ્યના નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આતંકી હુમલો થઈ શકે છે. આતંકવાદીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રેકી કરી હોવાની શંકા જાહેર કરી છે જેને ધ્યાનમાં લઈને આ બન્ને સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહત્વપુર્ણ છે કે આ બન્ને સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. આ ભીડનો લાભ લઈને આતંકવાદીઓ હુમલો કરી શકે છે.આ બાબતે એ.એસ.પી અચલ ત્યાગી એ જણાવ્યું હતું કે ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સુરક્ષા કાફલો વધારી દેવાયો છે. સ્ટેચ્યુ અને નર્મદા ડેમ જોવા આવનાર તમામ વાહનોનું કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. બસમાં આવનાર પ્રવાસીઓના સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુરક્ષા એકદમ ચુસ્ત છે. એક સ્પેશિયલ ટીમ રાખવામાં આવી છે. જે સતત સુરક્ષા અને પેટ્રોલિંગ કરી રહી છે.
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments