Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાન જયંતિ, સુરતમાં 3600 કિલોનો લાડુ, 40 હજારથી વધુ ભક્તો પામશે પ્રસાદ

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2017 (11:46 IST)
આજે હનુમાન જયંતિની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે હનુમાન જયંતિની અનોખી ઉજવણી માટે જાણીતા પાલ સ્થિત અટલ આશ્રમ ખાતે આ વર્ષે પ્રથમવાર 3600 કિલોનો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો છે. આ તરફ હનુમાનજીને કેક કાપીને પણ તેમની જન્મજયંતિ ઉજવાશે.3600 કિલોના લાડુમાંથી 40 હજાર ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. 

આ અંગે માહિતી આપતાં અટલ આશ્રમના મહંત પૂજ્ય બટુકગીરી મહારાજે જણાવ્યું કે, હનુમાન જયંતિએ સામાન્ય રીતે દરેક મંદિરમાં પ્રસાદીનું વિતરણ કરવામાં તો આવે છે પણ અહીં અટલ આશ્રમના દર વર્ષે અલગ રીતે ઉજવણી કરાય છે. અહીં દર વર્ષે હનુમાનજીને વિશાળકાય લાડું ધરવામાં આવે છે તેની સાથે કેક કાપીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મંદિર તરફથી પ્રથમવાર 3600 કિલોનો વિશાળ લાડું બનાવવામાં આવી રહ્યો છે. આ લાડું બનાવવાની શરૂઆત વર્ષ 2004થી થઇ હતી જેમા વર્ષ 2004માં 551 કિલો, 2005માં 1111 કિલો, 2006માં 1551 કિલો, 2007માં 1751 કિલો, 2008માં 2151 કિલો, 2009માં 2500, 2010માં 2551 કિલો, 2011માં 2700 કિલો, 2012માં 2751, 2013માં 3100 કિલો, 2014માં 3200 કિલો, 2015માં 3151 અને 2016 3551 અને આ વર્ષે 3600 કિલોનો વિશાળ લાડું તૈયાર કરવામાં આવ્યો છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments