Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના ગોડાદરા ગામમાં ગાયનું કપાયેલુ માથું મળતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ, તોડફોડ અને આગચંપી

સુરતના ગોડાદરા ગામમાં ગાયનું કપાયેલુ માથું મળતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ  તોડફોડ અને આગચંપી
Webdunia
સોમવાર, 30 જાન્યુઆરી 2017 (15:47 IST)
સુરતના ગોડાદરા વિસ્તારમાં ગૌ હત્યાને લઇને મામલો બીચકાયો છે. લોકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરાતાં પોલીસ સાથે સંઘર્ષ થતાં સ્થિતિ વણસી છે. રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરતાં છેવટે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના 35 જેટલા સેલ છોડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  
 
રસ્તા પર ગાયનું કપાયેલું માથું મળી આવતા લોકો વિફર્યા છે. ભાવનાપાર્ક સોસાયટીમાં અજાણ્યા ઈસમોની કરતૂત પછી સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ગોળાદરા વેપારી મંડળે સ્વયંભૂ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો બીજી તરફ લોકો વિફરતાં તંગદીલી સર્જાઇ હતી. આ ઘટના પછી લોકો સ્વયંભૂ બહાર નીકળી આવ્યા હતા અને તોડફોડ કરી આગચંપી કરી હતી. જેને પગલે પોલીસે ટીયર ગેસના 35 જેટલા સેલ છોડવા પડ્યા હતા. ટિયર ગેસના સેલ છોડ્યા હતા. લોકો વધુ ઉગ્ર બનતાં પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો. જેમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકોએ ચિકનની દુકાનોમાં તોડફોડ કરી હતી અને સામાન બહાર કાઢી સળગાવાનો પ્રયાસ કર્યો હતો. લિમ્બાયત પોલીસ અત્યારે ઘટનાસ્થળે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ વાળને રીંસ કરો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

આગળનો લેખ
Show comments