Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યૂ ઑફ યૂનિટી આસપાસ પ્રવાસન માટે છ ગામ ખાલી કરાવવા સામેની અરજી હોઇકોર્ટે ફગાવી

Webdunia
શનિવાર, 2 મે 2020 (15:39 IST)
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ પ્રવાસન પ્રોજેક્ટના વિકાસ માટે છ ગામડાઓને ખાલી કરાવવાના નિર્ણય સામે થયેલી જાહેરહિતની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટનું અવલોકન છે કે આ અરજી ટકવા પાત્ર ન હતી. આ વિસ્તારમાં રાજ્ય સરકારે જમીન અધિગ્રહણ ની પ્રક્રિયા શરૂ કરી હતી. જેની સામે ગત વર્ષે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.આ વિવાદના ઉકેલ માટે રાજ્ય સરકારે 312 ગામ લોકોને વળતર આપતા પેકેજનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જો કે અરજદાર અને ગામલોકોએ વધુ વળતરની માંગ કરી હતી. જે વાત રાજ્ય સરકારે સ્વીકારી ન હતી.આ પછી રાજ્ય સરકારે ગામલોકોને બીજો પ્રસ્તાવ આપ્યો હતો કે જો ગામલોકો અન્ય સ્થળે સ્થળાંતર કરવા માટે તૈયાર થશે, તો તેમના ગામને તમામ સુવિધા સાથે મોડેલ ગામ બનાવી આપીશું.આ વિવાદના ઉકેલ માટે હાઇકોર્ટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ બંને પક્ષકારો સમક્ષ મુક્યો હતો.જો કે રાજ્ય સરકાર આ વાત સાથે સહમત ન હતી. રાજ્ય સરકારની રજૂઆત હતી કે દાયકાઓ પહેલાં આ જમીન અધિગ્રહણ કરવામાં આવેલી છે. ગામલોકોએ લાંબા ગાળા બાદ તેમનો દાવો કરેલો છે, જે સ્વીકારી શકાય નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Collector Salary:કલેક્ટરનું કામ સત્તા અને હોદ્દાનું, જાણો કેટલો છે પગાર, શું છે સુવિધાઓ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

મહારાષ્ટ્રના પુણેમાં દુ:ખદ અકસ્માત, પાણીની ટાંકી ધરાશાયી થવાથી 5 મજૂરોના મોત; ઘણા ઘાયલ

આગળનો લેખ
Show comments