Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના લારી ગલ્લા દૂર કરતાં સ્થાનિકોએ ભીખ માંગીને વિરોધ કર્યો

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (12:23 IST)
તાજેતરમાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક અધિકારીને અંગ્રેજ તરીકે ગણાવી દીધાં હતાં તેનું કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ લારી ગલ્લાવાળાઓની રોજગારીને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે ત્યારે નર્મદા નિગમના એક નિર્ણયથી 300 થી વધુ પરિવારોની રોજીરોટી છીનવાઇ જતાં તેઓ બેરોજગાર બની ગયા છે. રોજગારી છીનવતા સ્થાનિક ગ્રામજનોએ સ્ટેચ્યુ ખાતે ફરવા આવનારા પ્રવાસીઓ પાસે ભીખ માંગી અનોખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્ટેચ્યુ ખાતે મોટી સંખ્યામાં લોકો ભીખ માંગતાં જોઇ એક ક્ષણે પ્રવાસીઓ આશ્ચર્યમાં પડ્યાં હતાં. જોકે બાદમાં તેઓએ તેમની આપવિતી જાણતાં નિગમના કૃત્યથી રોજગારી છીનવાઇ જવાની વાતથી દિલગીરી વ્યક્ત કરી હતી. કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નિગમ દ્વારા 300થી વધુ લારી ગલ્લામાં દુર કરી દેવાયાં છે. ત્યારે રોજગારી છીનવાઇ જતાં કેવડિયાની શિક્ષિત મહિલાઓ, યુવાનો અને આગેવાનો તેમજ રોજગારી ગુમાવનારા લોકોએ હાથમાં કટોરી લઇને પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રવાસીઓને તેવો બેરોજગાર બનતા ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી કેમકે જે ઘરનો ચૂલો સળગે એટલું કમાતા હતાં. એ તો આ અધિકારીઓએ છીનવી લીધો એટલે આમે ભીખ માંગી રહ્યા છે કહી વિરોધ કરતા હતા. જે સ્થાનિકો ભીખ માંગી રહ્યા છે, તેમની રોજગારી આધિકારીઓએ છીનવી હોવાનું પ્રવાસીઓને માલુમ પડતાં તેઓએ પણ અધિકારીઓ પર ફિટકાર વરસાવી હતી. ઉપરાંત દુકાનો બંધ રહેતા પ્રવાસીઓએ પણ સ્વીકાર્યું કે આ લોકો વગર પ્રવાસીઓને ખુબ મુશ્કેલી પડી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

"સવારે હવન, રાત્રે તાજ હોટેલમાં બે પેગ..." 23 વર્ષની તપસ્યા, છતાં વિવાદોમાં ઘેરાઈ મમતા કુલકર્ણી

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

આગળનો લેખ
Show comments