Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂ-જુગારના અડ્ડા પર રેડ પાડે તો તપાસ સ્થાનિક પોલીસ નહીં કરે

Webdunia
સોમવાર, 9 માર્ચ 2020 (11:05 IST)
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હવે રાજ્યભરમાં ગમે ત્યાં દારૂ - જુગારની રેડ પાડવામાં આવશે તો તેના કેસની તપાસ પણ હવેથી મોનિટરિંગ સેલ દ્વારા જ કરવામાં આવશે. બુટલેગરો-જુગારના સંચાલકોની સાથે સ્થાનિક પોલીસની મિલી ભગત છે કે નહીં તેની તપાસ પણ હવેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ કરવામાં આવશે. પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમરે તમામ શહેર પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપીને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં ક્યાંય પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ-જુગારની રેડ પાડવામાં આવી હોય તો તેવા કેસના કાગળો મોનિટરિંગ સેલની કચેરીમાં મોકલી આપવી. રેડ દરમિયાન કસૂરવાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાયા હોય તો તેવા કેસોની તપાસ પણ મોનિટરિંગ સેલમાં મોકલી આપવી. આગામી દિવસોમાં દારૂ-જુગારના રેડની તમામ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ જ કરશે. મોનિટરિંગ સેલ દારૂનો કેસ કરીને મુદ્દામાલ અને આરોપીને સ્થાનિક પોલીસને સોંપી દેતા હતા. જોકે તે બુટલેગર સાથે સ્થાનિક પોલીસને સાંઠગાંઠ હોવાથી દારૂના કેસમાં પોલીસ સપ્લાયર તેમજ દારૂ બનાવનારા સુધી પહોંચી જતી હતી. પરંતુ તેમને પકડવાની કે તેમની સામે કાર્યવાહી કરતી ન હતી. જેના કારણે ઘણા બધા ગુનાઓમાં પોલીસ જડમૂળ સુધી પહોંચી જ નથી. છેલ્લાં અઢી વર્ષમાં રાજ્યમાં દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર 100 જેટલા દરોડા પડાયા હતા, જેમાંથી ડીજીપી દ્વારા 60 જેટલા પીઆઈ - પીએસાઈને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: વજન ઘટાડવા માટે ખૂબ જ લોકપ્રિય છે OMAD ડાયેટ, જાણો તમે કેવી રીતે મેળવી શકો છો તેનો લાભ

નાસા સુનિતા વિલિયમ્સને 9 મહિનાના ઓવરટાઇમ માટે કેટલો પગાર આપશે?

જાણો ગોવામાં બીચ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માટે કેટલો ખર્ચ થાય છે.

Egg Toast- બાફેલા એગ મસાલા ટોસ્ટ

બ્રેડ શોલે રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

Deb Mukherji Death: બર્થડે પાર્ટી છોડીને Ayan Mukherji ને સાંત્વના આપવા પહોચ્યા Ranbir-Alia, કાજોલનાં પણ નથી થામ્યા આંસુ

આગળનો લેખ
Show comments