Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી, એકનું મોત

Webdunia
શનિવાર, 1 જુલાઈ 2023 (14:18 IST)
અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતાં પનાચે નામની રહેણાંક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટવાની ઘટનામાં સાઇટ પર કામ કરતાં સુપરવાઈઝર યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું છે. અમદાવાદ અને ગાંધીનગરની ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી વહેલી સવારે સુપરવાઈઝરનો મૃતદેહ કાટમાળ વચ્ચેથી બહાર કાઢ્યો હતો. જ્યારે આ દુર્ઘટનામાં બે મજૂરોને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
 
પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શુક્રવારે સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ આ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર સ્લેબ ભરવાનું કામકાજ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક જ સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં એક મહિલા અને એક પુરુષને ઈજા થઈ હતી. જેથી આસપાસના મજૂરો ત્યાં દોડી આવ્યા હતા. બંનેને મજૂરોએ જેમ તેમ કરીને બહાર કાઢી લીધા હતા. 
 
મજુરોને હાથે અને પગે તેઓને ઈજા થઈ હતી સાથી કામદારોએ તેઓને ત્યાં બેસાડ્યા હતા.સુપરવાઇઝર સવન પ્રજાપતિ સાઈટ પરથી ગુમ હોવાથી તે પણ સ્લેબના કાટમાળ નીચે દટાયો હોવાની આશંકાને પગલે હેવી મશીનરીથી સ્લેબ હટાવવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. આખી રાત ફાયરબ્રિગેડે ઓપરેશન કરતા વહેલી સવારે સવન પ્રજાપતિનો મૃતદેહ કાટમાળ નીચેથી મળી આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments