Webdunia - Bharat's app for daily news and videos

Install App

Arvind Joshi Death: શરમન જોશીના પિતા અને ગુજરાતી ફિલ્મના અભિનેતા ડાયરેક્ટર અરવિંદ જોશીનુ નિધન

Webdunia
શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (13:36 IST)
અભિનેતા શરમન જોશીના પિતા  અને ગુજરાતી થિયેટરની દુનિયામાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે જાણીતા અરવિંદ જોશીનું આજે સવારે 3.00 વાગ્યે મુંબઇના જુહુની નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 84 વર્ષના હતા.અને વય સંબંધિત રોગોથી સંઘર્ષ કરી રહ્યો હતો. અભિનેતા અને અરવિંદ જોશીના સંબંધી  પ્રેમ ચોપડાએ તેમના મોતની પુષ્ટિ કરી છે.
 
 
અરવિંદ જોશીએ અનેક હિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ, પણ તેમની ઓળખ ગુજરાતી નાટકોમાં અભિનય કરીને અને ગુજરાતી નાટકોના નિર્દેશકના રૂપમાં બની. જો હિન્દી ફિલ્મોની વાત કરીએ તો અરવિંદ જોશીએ ઈત્તેફાક, શોલે, અપમાનની આગ, ખરીદાર, ઠીકાના, નામ, જેવી તમામ ફિલ્મોમાં સહાયક કલાકારના રૂપમાં નાની-નાની ભૂમિકાઓ પણ ભજવી હતી. તેમણે અનેક હિન્દી સીરિયલોમાં પણ કામ કર્યુ હતુ. 
 
અરવિંદ જોશીના વેવાઈ અને જાણીતા અભિનેતા પ્રેમ ચોપડાએ કહ્યુ કે અરવિંદ એક ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા.  તેઓ છેલ્લા 2 અઠવાડિયાથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા. વય સંબંધી બીમારીઓ સાથે જોડાયેલ જટિલતાને કારણે તેમની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ હતી અને તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.  ગુજરાતી થિયેટરમાં તેમનુ યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments