Webdunia - Bharat's app for daily news and videos

Install App

અહેમદ પટેલે ધાર્યું હોત તો પ્રધાનમંત્રી અથવા રાષ્ટ્રપતિ પણ બની શક્યા હોત પણ

Webdunia
ગુરુવાર, 26 નવેમ્બર 2020 (09:59 IST)
ગુજરાતનાં રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના દુઃખદ નિધન પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ દુઃખ વ્યક્ત કરતા શોક પ્રકટ કર્યો છે. શંકરસિંહ વાઘેલા એ મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે અહેમદ પટેલ 42 વર્ષથી તેમના મિત્ર રહ્યા છે ત્યારે સ્વાભાવિક પણે તેમની ખોટ તેમને ખટકશે અને ના ફક્ત કોંગ્રેસ પાર્ટીને પરંતુ દેશની તમામ પાર્ટીઓને અને જાહેર જીવનમાં રહેનાર તમામ લોકોને તેમની ખોટ ખટકશે. અહેમદભાઈના નિધન થી દેશ એ એક સારા અને અનુભવી નેતા ગુમાવ્યા છે. શંકરસિંહ બાપુ એ જૂની યાદો વાગોળતા જણાવ્યુ હતું કે જ્યારે તેઓ ભાજપમાં હતા ત્યારે પણ અહેમદભાઈ સાથે તેમના સારા સંબંધો હતા અને અંકલેશ્વર-ભરૂચ જતા તો તેમના ઘરે જ ભોજન કરતા. 
 
વધુમાં શંકરસિંહ બાપુ એ જણાવ્યુ હતું કે અહેમદભાઈ જાહેર જીવનમાં હોવા છતાં સત્તા થી વિમુખ રહ્યા હતા. ધાર્યું હોત તો પ્રધાનમંત્રી અથવા રાષ્ટ્રપતિ પણ બની શક્યા હોત પણ તેઓએ તેમની આખી જિંદગી કોંગ્રેસ પાછળ લગાવી દીધી. કોંગ્રેસની તમામ સમસ્યાઓનું સમાધાન લાવનાર અને પાર્ટીને એક રાખી સંગઠન ને મજબૂત કરવા સતત પ્રયત્ન કરનાર અહેમદભાઈ કોંગ્રેસના સાચા સૈનિક હતા. 
 
અહેમદ પટેલ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી માટે હંમેશા સાથે રહેતા હતા અને પાર્ટીને પાટે ચડાવવા માટે લો પ્રોફાઇલ રહીને સતત કામ કરતા રહ્યા અને લોકોના એક ફોન માત્ર થી તમામ મદદ પહોંચાડનાર અહેમદભાઇ સેવાકીય પ્રવૃતિમાં પણ મોખરે હતા. અહેમદભાઈ જેવુ વ્યક્તિત્વ જાહેર જીવનમાં બહુ ઓછું હોઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments