Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદ્યાર્થીઓને સાપુતારા પ્રવાસ લઇ જતી બસને નડ્યો અકસ્માત, 23 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Webdunia
સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (11:55 IST)
ગુજરાતમાં વધુ એકવાર પિકનિક પર જતી સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોને લઈ જતી લક્ઝરી બસ ચીખલી નજીક પલટી ખાઈ જતાં બસમાં સવાર વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. બસમાં 54 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 23 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરના અમૃતપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ડાંગના સાપુતારા ખાતે પ્રવાસ માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં વહેલી સવારે નીકળ્યા હતા. આ બસ આજે વહેલી સવારે નવસારી જિલ્લાના ચીખલી નજીક વળાંક લેતા સમયે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતાં પલટી ખાઇ ગઇ હતી અને રોડ બાજુએ ઉતરી જતાં એકદમ ધડાકાભેર અવાજ થયો હતો. જેને લીધે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા.
 
બસ પલટી જવાને કારણે બાળકોની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. જેને કારણે તાત્કાલિક સ્થાનિકોએ ભેગાં થઈ બાળકોને બહાર કાઢ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લક્ઝરી બસમાં 57 બાળકો હતા જેમાં 23ને ગંભીર ઈજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં સુરતના અમરોલી અને છાપરાભાઠા વિસ્તારની પ્રાથમિક શાળાના બાળકોના પ્રવાસની બસને સાપુતારામાં અકસ્માત નડ્યો હતો. આશરે 200 ફૂટ ઉંડી ખીણમાં લક્ઝરી બસ ખાબકતા 10 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને તમામ મૃતક વિદ્યાર્થીઓના પરિવારને 2.50 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્તોની સારવાર માટે એક લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments