Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાળાઓ મર્જ કરવા મુદ્દે શિક્ષકો અને વાલીઓમાં સરકાર સામે રોષ ભભૂક્યો

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (12:51 IST)
ગુજરાત સરકારે હવે સરકારી શાળાઓનાં વર્ગમાં ૩૦થી ઓછી સંખ્યા હોય તો તે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈને શિક્ષકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જો કે આ વર્ગ બંધ કરવાની વાતને લઈને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં ૩૦થી ઓછી સંખ્યા ધરાવતા વર્ગો બંધ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.આ નિર્ણયના અનુસંધાને સાબરકાંઠા જીલ્લાની ૨૦૭ જેટલી પ્રાથમિક શાળાઓ મર્જ થાય એમ પરિસ્થિતિ ઉભી થઇ છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને લઈને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે આ નિર્ણયને લઈને શિક્ષકો કરતા વધુ નારાજ વિદ્યાર્થીઓના વાલીઓ દેખાઈ રહ્યા છે. જો કે આ તરફ શિક્ષણ વિભાગ આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યો છે. શિક્ષણ વિભાગના મતે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં શિક્ષકોની સંખ્યા વધુ હોય છે.જો શાળાઓમાં સંખ્યા નહિ હોય તો શિક્ષકે પણ ફાજલ થઈને બીજી શાળામાં જવું પડશે અને આની અસર શિક્ષણ કાર્ય પર પણ પડી શકે છે. વર્ગો મર્જ થવાને લઈને બાળકોમાં સમૂહ જીવનની તક મળશે અને યોગ્ય શિક્ષણ પણ મળશે. શિક્ષણ વિભાગના આ નિયમને પગલે ગુજરાતભરનાં શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો સામે વાલીઓ પણ પોતાના સંતાનોને ઘર આંગણાની શાળા છોડી એક થી બે કિલોમીટર દૂરની શાળામાં મોકલવાના વિચારે જ કચવાઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગે આ મુદ્દે ફરી એકવાર વિચારે તેવું શિક્ષકો અને વાલીઓનું માનવું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments