Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હૃદયની બિમારી ધરાવતા લોકોને સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા આદેશ

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2023 (17:39 IST)
ગુજરાતમાં યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં હાર્ટએટેક આવવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે.સરકારે પણ આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે તેનું અર્થઘટન કરવા માટે નિષ્ણાંત ડોક્ટરોની એક ટીમ બનાવી છે.

ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ પ્રકારની ઘટનાઓ સામે સાવચેત રહેવા એક નિર્ણય લીધો છે.જેમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે.

ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યાં હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગપૂલમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરમાં હૃદયની બિમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે. યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે.હ્રદય રોગની બિમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.  સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

તમે સાંભળ્યુ શુ બોલ્યા રાહુલ ગાંધી ? સત્તામાં આવ્યા તો અનામતની લિમિટ અને 50 ટકાની લિમિટ પણ ક્રોસ કરી દેશે

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

આગળનો લેખ
Show comments