Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણનો આદિવાસીઓ કરશે વિરોધ, એક્તા યાત્રામાં પાંખી હાજરીથી ભાજપની ચિંતાઓ વધી

Webdunia
સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:54 IST)
ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી ઊંચી પ્રતિમાનું લકાર્પણ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાઓના આસપાસના વિસ્તારના આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ કરવાની તૈયારીના લાગ્યા હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. ભિલીસ્તાન ટાઇગર સેનાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ વખતે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા એલાન કર્યું છે. તો બીજી તરફ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ અગાઉ રાજ્યભરમાં ભાજપની એક્તાયાત્રાનો પ્રારંભ થયો છે. અને આ યાત્રાને સારો પ્રતિસાદ ન સાંપડતા ભાજપના આગેવાનો ચિંતિત થયા છે. સરકાર પ્રત્યે લોકોની નારાજગી વધી રહી છે જેથી એક્તાયાત્રાથી લોકો અળગા રહ્યાં છે.
ભિલિસ્તાન ટાઇગર સેનાએ શક્તિ પ્રદર્શન યોજી લોકસભાની ચૂંટણીઓના મંડાણ કર્યા છે. ધારાસભ્ય છોટું વસાવા કહે છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આદિવાસીઓનું શું ભલું થવાનું છે. આ પ્રોજેક્ટન લીધેતો આદિવાસીઓની જમીનો છિનવાઇ જશે. કેન્દ્ર સરકારે તો 244(1) કલમ હેઠળ શિડ્યુલ મુજબની જમીનો પણ આપી દેવા રાજ્ય સરકારને પરિપત્ર કરી દીધો છે. વાસ્તવમાં કમીટીની ભલામણો પછી રાજ્યપાલ સહિત રાજ્યપાલ મંજૂરી આપે તો જમીન આપી શકાય તેવો નિયમ છે.
એક તરફ નર્મદા જિલ્લામાં 144મી કલમ લાગુ કરવામાં આવી છેને, બીજી તરફ ભાજપ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ વખતે હજારોની ભીડ એકત્ર કરશે આવું કેવી રીતે હોઇ શકે, તે સમજાતુ નથી. ભિલિસ્તાન ટાઇગર સેનાએ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભિલિસ્તાન ટાઇગર સેના ઉપરાંત આદિવાસી એક્તા પરિષદ આદિવાસી મહાસભા સહિતની ઘણી સંસ્થાઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કર્યો હતો.
બીજી તરફ એક્તાયાત્રાનો મોટાઉપાડે પ્રારંભ તો થયો છે આ યાત્રાને લઇને ભાજપના મોવડીઓમાં ચિંતાના વાદળ છવાયા છે. અમદાાવદ જેવા શહેરોમાં કુદ ભાજપના ધારાસભ્યો, સાંસદો જે નહીં સંગઠનના હોદ્દેદારો ય એક્તાયાત્રામાં ડોકાયા નથી. આવી જ દશા ગામડાઓમાં થઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો તો ભાજપથી નારાજ છે. પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠા છે. ભાજપે બદનામ કરતાં ઠાકોરો, ઓબીસી પણ સરકારથી ખફા છે. આ સંજોગોમાં ભાજપના નેતાઓએ ગામડે ગામડે ખાટલા પરિષદો કરી ખેડૂતોને સમજાવવા પ્રયત્નો કર્યા પણ કંઇ મેળ પડ્યો નતી. આ કારણોસર ભાજપની એક્તાયાત્રામાં પાંખી હાજરી જોવા મળી રહી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમિતાભ બચ્ચની પૌત્રી આરાધ્યાએ ફરી ખખડાવ્યો કોર્ટનો દરવાજો, જાણો શુ છે મામલો

Jaipur Trip Plan - જયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - વકીલ- તેલી

ગુજરાતી જોક્સ - મારા પુત્રનો ચહેરો મારા પર છે

Viral Video - Live Concert વચ્ચે સોનૂ નિગમને અચાનક દુ:ખાવો ઉપડ્યો, તબિયત બગડતા ચીસો પાડવા માંડ્યા સિંગર, દર્દનાક દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા લોકો

વધુ જુઓ..

નવીનતમ

ઘૂંટણનું ગ્રીસ વધારવાનાં ઉપાય, આ વસ્તુઓનું સેવન કરવાથી સાંધા થશે લુબ્રિકેટ અને દુખાવામાં મળશે રાહત

Valentine Week 2025- રોઝ ડે થી વેલેન્ટાઈન ડે સુધી: સંપૂર્ણ વેલેન્ટાઈન વીક 2025 શેડ્યૂલ

એકસરસાઈઝ પછી ભૂલથી પણ ન ખાવુ આ 5 વસ્તુઓ બધી મેહનત થઈ શકે છે ખરાબ

Rose Day 2025- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

આગળનો લેખ
Show comments