Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ IPS સંજીવ ભટ્ટને જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા

પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ
Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (12:14 IST)
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1990ના જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટાકરવામાં આવી છે. જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ ડી એમ વ્યાસે હત્યાના ગુનામાં સંજીવ ભટ્ટ તેમજ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આરોપી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે.

ઉલ્લેખનીય છે કે 1990મા થયેલા રમખાણો દરમિયાન 100થી વધુ લોકોની ધરપકડ કરવાનો આદેશ હતો. ધરપકડથી મુક્ત કર્યા પછી તેમાથી એક પ્રભુદાસ વૈષ્ણાનીનુ હોસ્પિટલમાં મોત થયુ હતુ. તેમની ધરપકડ દરમિયાન મારપીટ થઈ હતી. 
 
મૃતકના ભાઈ અમૃત વૈષ્ણાનીએ આ મામલે શ્રી ભટ્ટ સહિત આઠ પોલીસ કર્મચારીઓને આરોપી બનાવતા મામલો નોંધ્યો છે.  કોર્ટે ભટ્ટના દોષી ઠેરવતા આજે આજીવન કેદની સજા સંભળાવી. ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંતી નરેન્દ્ર મોદી પર ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન ઉશ્કેરણી કરનારા અસામાજીક તત્વો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવનારા ભટ્ટને લાંબા સમય સ્ધી ડ્યુટી પર ગેરહાજર રહેવાને કારણે 2011માં નોકરીમાંથી બહાર કરવામાં આવ્યા હતા અને ઓગસ્ટ 2015ના રોજ તેમને બરખાસ્ત કરવામાં આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments