Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટનો રન-વે 31 જાન્યુઆરી સુધી 9 કલાક માટે બંધ રહેશે, સવારે 9 થી સાંજે 6 સુધી રન-વે રિકાર્પેટિંગની કામગીરી થશે

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (13:29 IST)
અમદાવાદ એરપોર્ટ ખાતે હાલમાં પ્રતિદિન 136  ફ્લાઇટના આવાગમન થાય છે. રિકાર્પેટિંગની કામગીરી શરૃ થતાં જ તેમાં ઘટાડો થઇ ૧૦૩ ફ્લાઇટોના ડિપાર્ચર-એરાઇવલ થઇ જશે. આમ, અમદાવાદ એરપોર્ટમાં પ્રતિદિન ૩૩ ફ્લાઇટની અવર-જવર બંધ રહેશે જ્યારે ૧૫ ફ્લાઇટને રીશેડયૂલ કરાશે. ૧૭ જાન્યુઆરીથી ૩૧ મે દરમિયાન મોટાભાગની ફ્લાઇટને સવારે ૯ પહેલા અને સાંજે ૬ બાદ જ ઓપરેટ કરવામાં આવશે.અગાઉ સાડા ત્રણ કિ.મી લાંબા રન-વે (૩૩૦૦ મીટર) રિ-કાર્પેટિંગ કરવાનો દિવાળીના તહેવારોમાં કરવા નક્કી કરાયુ હતુ. પરંતુ કોરોના બાદ માંડ શરૃ થયેલી ડોમેસ્ટિક ફલાઇટોના અનેક શેડયુલ ખોરવાય નહીં અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો ન પડે માટે અનેક રજૂઆતો બાદ આ નિર્ણયમાં ફેરફાર કરી આગામી જાન્યુઆરી મહિનાના પ્રારંભે કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ વાઇબ્રન્ટ સમિટને પગલે રન-વે રિસરફેસિંગની કામગીરી ૧૭ જાન્યુઆરીએ લઇ જવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક સેક્ટરમાં સૌથી વધુ ફલાઇટ ઇન્ડિગોની છે જેના પ્રતિદીન ૫૦ જેટલા ડિપાર્ચર-એરાઇવલ છે હવે રન-વેના રિ-કાર્પેટિંગના પગલે ઘટીને અંદાજીત ૩૮ જેટલા થઇ જશે. તેવી જ રીતે ગો અને સ્પાઇસજેટના પ્રતિદીન ૩૨-૩૨ ફલાઇટોના ડિપાર્ચર-એરાઇવલ છે જે ઘટીને ૨૫-૨૫ થઇ જશે. ઇન્ડિગોએ તેમના વ્યસ્ત રૃટ પર ચાલતી કેટલી ફલાઇટોને વડોદરાથી ઓપોરેટ કરવાનું પણ નક્કી કર્યુ છે. જેમાં મુંબઇ અને દિલ્હી, ગોવાનો સમાવેશ થાય છે. રન-વે રિકાર્પેટિંગના સમયમાં અનેક ફેરફારોના કારણે એરલાઇન કંપનીઓએ બુકીંગ સિસ્ટમ પર ઓપન રાખ્યા હતા. તેવા ઘણાય મુસાફરોએ એડવાન્સ બુકીંગ પણ કરી દીધા છે તેમની ફલાઇટ રદ ન થાય મુસાફરોના હાલાકીનો સામનો ન કરવો પડે માટે એકબીજા સેક્ટરની ફલાઇટો મર્જ કરી મુસાફરોને સેવા આપશે. સ્ટાર એરની કિશનગઢ અને ટ્ જેટની પોરબંદર, કંડલા ફલાઇટને બંધ કરવામાં આવશે. જેસલમેરની ફલાઇટના સમયમાં ફેરફાર કરી સવારે ૭  વાગે ઓપરેટ કરવા હાલ સંભવિત જાહેરાત કરાઇ છે. એર ઇન્ડિયાની એકપણ ફલાઇટને અસર થશે નહીં.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments