Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચમહાલના સંવેદનશીલ વિસ્તાર ગોધરામાં 2022 સુઘી અશાંત ધારો લાગુ કરાયો

પંચમહાલના સંવેદનશીલ વિસ્તાર ગોધરામાં 2022 સુઘી અશાંત ધારો લાગુ કરાયો
Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2017 (11:31 IST)
પંચમહાલ જિલ્લાનું ગોધરા રાજ્યના સંવેદનશીલ શહેર તરીકે જાણીતું છે. હવે આ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારા લાગુ પાડવામાં આવ્યો છે. શહેરના 10 જેટલા વિસ્તારોમાં અશાંત ધારા લાગુ કરાયો છે. આ શહેરમાં હિન્દૂ અને મુસ્લિમ કોમ વચ્ચે વારંવાર કોમી વૈમનસ્ય ફેલાયાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે. શહેરમાં બન્ને કોમની વસ્તી લગભગ અડધી અડધી છે.

પરંતુ જ્યાં બન્ને વસ્તી ને જોડતા વિસ્તારો છે ત્યાં વર્ષો થી કેટલાક ભૂમાફિયાઓ દ્વારા કાવતરા ભાગ સ્વરૂપે જમીન અને મકાન ખરીદી એક પ્રકારના અતિક્રમણની ફરિયાદો ઉઠવા પામેલ છે અને આ મામલે અનેક વાર બંને કોમ સામસામે આવી જાય એવા બનવો પણ બને છે. બન્ને કોમની વસ્તીને જોડતા વિસ્તારમાં અનેક મંદિર આવેલા છે જેની આસપાસના મકાનો મોં માંગી કિંમત આપી ખરીદી અને અતિક્રમણ કરવાના બનાવો બાદ ધાર્મિક સ્થાનો અન્ય કોમની વસ્તીમાં જતા રહેવાથી ધાર્મિક સ્થાન પર જવાનું ઓછું થઇ જવા પામ્યું છે. આ મામલે કેટલાક સંગઠનો દ્વારા અશાંત ધારો અમલમાં મૂકી એક કોમના અન્ય કોમને તેઓની સ્થાવર મિલ્કત વેચી ના શકે તેવી માંગણી છેલ્લા કેટલાક વર્ષોથી કરાઈ રહી હતી. જે માંગણીને સરકાર દ્વારા માન્ય રાખી વર્ષ 2022 સુધી ગોધરામાં અશાંત ધારો લાગુ પાડી દેવાયો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments