Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં નવા વાયરસના પ્રવેશથી ખળભળાટ, 2 દિવસમાં 4 બાળકોના મોત; જાણો તેના લક્ષણો

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2024 (10:08 IST)
chandipura virus- ગુજરાતમાં નવા વાયરસના પ્રવેશથી ખળભળાટ, 2 દિવસમાં 4 બાળકોના મોત; જાણો તેના લક્ષણો
 
ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક રહસ્યમય વાયરસનો પ્રકોપ પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે 4 બાળકોના મોત થયા છે અને 2 અન્ય બાળકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
 
સ્વાસ્થ્ય અધિકારીઓએ આ વાયરસને ચાંદીપુરા વાયરસ ગણાવ્યો છે. ચાલો જાણીએ આ વાયરસના લક્ષણો વિશે-
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ એ Rhabdoviridae પરિવારનો વાયરસ છે, જે મચ્છર, માખીઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો દ્વારા ફેલાય છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1965માં મહારાષ્ટ્રમાં થઈ હતી. તે દેશમાં એન્સેફાલીટીસ રોગના કેટલાક અલગ-અલગ પ્રકોપ સાથે જોડાયેલું છે. આ સિવાય વર્ષ 2003માં આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની અસર જોવા મળી હતી, જેના કારણે 329 અસરગ્રસ્ત બાળકોમાંથી 183ના મોત થયા હતા. વર્ષ 2004માં ગુજરાતમાં પણ તેના કેસ જોવા મળ્યા હતા. 
 
આ વાયરસના લક્ષણો શું છે?
ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા, સ્નાયુમાં દુખાવો અને નબળાઈનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, આ વાયરસ મગજમાં સોજો (એન્સેફાલીટીસ) લાવી શકે છે, જે જીવલેણ બની શકે છે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments