Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાન દ્વારા અપહરણની ઘટના વધતાં માછીમારોમાં ભારે રોષ, વેરાવળની ત્રણ બોટ અને ૨૨ માછીમારોનું અપહરણ

Webdunia
શુક્રવાર, 30 નવેમ્બર 2018 (12:04 IST)
પાકિસ્તાન મરીન દ્વારા તાજેતરમાં ભારતીય બોટના તથા માછીમારોના અપહરણની ઘટનાના સિલસિલામાં વધુ ત્રણ બોટને નિશાન બનાવી છે જેમાં પાક. મરીને વેરાવળની ત્રણ બોટ અને ૨૨ માછીમારોનું અપહરણ કર્યાની ઘટના બનતાં માછીમાર સમાજમાં ભારે રોષ પ્રસરી ગયો છે. થોડા દિવસ પૂર્વે જ ઓખાની અને પોરબંદરની બોટ અને માછીમારોના અપહરણની ઘટના તાજી છે ત્યાં ફરી નાપાક હરકત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેરાળની અન્નપૂર્ણા, કુસુમ અને કાજલ નામની ત્રણ બોટ એક સપ્તાહ પૂર્વે ફિશિંગ માટે દરિયો ખેડી રહી હતી તેવામાં બુધવારે રાત્રે ભારતીય જળસીમામાં જખૌ નજીક ત્રણ બોટ અને ૨૨ માછીમારોના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયા હતા. દરમિયાન આ સમાચાર પોરબંદર અને વેરાવળ ખાતે આવી પહોંચતાં સ્થાનિક બોટ એસોસિએશન અને માછીમાર સમાજના આગેવાનોએ આ અંગે તપાસ કરી બોટના અપહરણની ઘટનાને સમર્થન આપ્યું છે.
થોડા દિવસ પૂર્વે ઓખા અને પોરબંદરની બોટ અને માછીમારોના અપહરણની ઘટના તાજી છે ત્યારે ફરી આ અપહરણની ઘટના બનતાં માછીમાર સમાજના આગેવાનોએ પાકિસ્તાનની આ હરકત સામે રોષ પણ વ્યક્ત કર્યો છે. વેરાવળની આ ત્રણ બોટમાં મોટાભાગના માછીમારો દક્ષિણ ભારતના હોવાનું પણ જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments