Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના 4 શહેરોને કરફ્યું મળી રાહત, કેબિનેટની બેઠકમાં લેવાયો આ નિર્ણય

Webdunia
ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (10:39 IST)
વર્ષ 2020ના અંતમાં ભલે કોરોના નબળો પડી છે, રાજ્યમાં સતત કોરોના સંક્રમિતોના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ સરકારા દ્વારા આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં કોઇ છૂટછાટ આપી નહી. તેમજ આ વખતે સરકારે તમામ પતંગોત્સવના કાર્યક્રમો રદ કરી દીધા છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત રાત્રિ કરફ્યું વાળા શહેરોમાં ભીડ એકઠી થવા દેશે નહી. બુધવારે કેબિનેટની બેઠકમાં નવા વર્ષના પહેલાં દિવસથી કરફ્યુંમાં એક કલાકની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફયુનો સમય તા.1 જાન્યુઆરી-2021થી રાત્રિના 10 વાગ્યાથી કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં તા.1 જાન્યુઆરી-2021થી રાત્રિ કરફયુ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુની આ સમય વ્યવસ્થા તા. 16 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોના બેકાબૂ બનતાં રાજ્યમાં સ્થિતિ સર્જાઇ હતી અને તેના કારણે સૌથી રાજ્યમાં અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ ખુટવા લાગ્યા હતા. ત્યારે સ્થિતી વિકટ થતી જોઇને તંત્ર દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનાં કરફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. 
 
બુધવારે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 799 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 834 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 7 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 2,44,258 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 2,29,977 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,302 પર પહોંચ્યો છે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments