Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આપ્યું રાજીનામું, પાટીદાર સમાજમાં ખળભળાટ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:14 IST)
પાટીદાર સમાજમાં ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયામાં એવા મેસેજ ફરી રહ્યા છે કે ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ રાજીનામુ આપ્યું છે. તેમણે એક વ્યક્તિના વધુ પડતા વર્ચસ્વથી કંટાળીને આ નિર્ણય લીધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમના રાજીનામાંથી પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. આ માહિતી સામે આવ્યા બાદ ખોડલધાન ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું કે તેને નરેશ પેટલેનું રાજીનામુ મળ્યું નથી

આ માત્ર અફવા છે. નરેશ પટેલના વ્યક્તિત્વ પર વાત કરીએ તો, તેઓ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. કાગવડ ખાતે બનેલા ખોડલધામ મંદિરના નિર્માણમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. ખોડલધામ લેઉઆ પટેલ સમાજનું મોટુ સંગઠન છે અને સમાજમાં નરેશ પટેલનું વર્ચસ્વ પણ જોવા મળે છે. નરેશ પટેલના રાજીનામા બાદ રાજકોટમાં પાટીદાર વિદ્યાર્થીઓએ પરેશ ગજેરા વિરુદ્ધ નારા લગાવ્યા છે. વિદ્યાર્થીઓમાં પરેશ ગજેરા વિરુદ્ધ નારાજગી જોવા મળી છે. એવી પણ માહિતી ચર્ચાઈ રહી છે કે નરેશ પટેલે શનિવારે જ રાજીનામું આપી દીધું છે. જોકે હાલ તો ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments