Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ અગ્નિકાંડઃપૂર્વ ડે.ફાયર ઓફિસર પાસે 79.94 લાખની અપ્રમાણસર મિલકતો, ACBમાં ફરિયાદ

Webdunia
શુક્રવાર, 7 જૂન 2024 (12:33 IST)
Rajkot fire incident: Ex-day fire officer has disproportionate assets worth 79.94 lakhs
શહેરના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ ફાયર સહિતના વિભાગના જવાબદારો સામે તપાસ ચાલી રહી છે. ત્યારે મનપાના ડે. ચીફ ફાયર ઓફિસર સામે ACBએ ફરિયાદ નોંધી છે. રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકતની એસીબીએ ફરિયાદ દાખલ કરી કરી છે. રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ તેમની પાસેથી ઠેબાએ 70 હજારની લાંચ લીધી હોવાનું એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે સાંસદ બન્યા બાદ 70 હજાર પાછા આપી દીધા હતા.
 
79.94 લાખની અપ્રમાણસર મિલકતમાં કાર્યવાહી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાની સંપત્તીની તપાસ માટે ACB એક્શનમાં આવી હતી. ACBએ પહેલી એપ્રિલ 2012થી 31 માર્ચ 2024 સુધીના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવા તથા બેંક ખાતાઓની વિગાતો સહિત વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવવામાં આવેલી માહિતી સહિતનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ પોતાની ફરજ દરમિયાન હોદ્દાનો દુરૂપયોગ કરીને ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ પોતાના તથા આશ્રીતોના નામે મિલ્કતમાં રોકાણ કરેલાનુ પ્રાથમિક દ્રષ્ટિએ ACBની તપાસમાં ફલિત થયું છે. આરોપી સામે 79.94 લાખ એટલે કે તેની પાસે 67.27 ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે. જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 
 
સરકાર વતી ACB ફરિયાદી બની
આરોપી વિરૂધ્ધ રૂ.79,94,153 એટલે કે 67.27% વધુ અપ્રમાણસર મિલકતો એટલે કે આવક કરતાં વધુ સંપત્તિ વસાવેલી હોવાનો તપાસ કરનાર અધિકારી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, રાજકોટ એકમ, રાજકોટે સરકાર પક્ષે ફરિયાદી બની રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારો-2018)ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબનો ગુનો દાખલ કરાવ્યો છે. જે ગુનોની આગળની તપાસ એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટના PI પી.એ.દેકાવાડીયાને સોપવામાં આવીછે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments