Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેઘરાજા પઘાર્યા - ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત

Webdunia
મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (10:05 IST)
અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જન્માષ્ટમીના પ્રસંગે લગભગ સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરથી માંડીને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, ઘાડલોડિયા, વસ્ત્રાપુર તેમજ પૂર્વના નરોડા, નિકોલ, કૃષ્ણનગર, એસપી રિંગ રોડ, સરદારનગર, કુબેરનગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બીજીતરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં મેઘ રાજાની એન્ટ્રી થતા લોકોને ઉકળા અને બફારાથી રાહત મળી છે.
 
હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
<

When it rains in walled city of Ahmedabad

The video is of Kalupur - Relief road#Ahmedabad#Rain pic.twitter.com/sz8mQss5S5

— Aaquib Chhipa (@AcAaquib) August 30, 2021 >
 સમી સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. ફરી આજે જન્માષ્ટમી ના દિવસે અચાનક વાતાવરણ પલટો આવતા અમીરગઢ ઇકબાલગઢ સહિતના પંથકમાં વરસાદી જપતા પડતા ખેડૂતોના મુરજાતાં પાકોને નવું જીવન મળવાની આશા જાગી હતી. દિવસભર ઉકળાટ અને બફારા બાદ સાંજના સુમારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ રાહત અનુભવી હતી. જો કે મેઘરાજાએ જે પ્રમાણે મોડે મોડે પણ પધરામણી કરીને લોકોમાં ફરી એક આશા બંધાવી છે તે આશા નિષ્ફળ ન નીવડે અને સારો એવો વરસાદ થાય તેવી લોકો આશા કરી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments