Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસીઓને કહ્યું, 'નવું ગુજરાત બનાવવું પડશે'

Webdunia
મંગળવાર, 10 મે 2022 (14:25 IST)
રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાત છે અને તેઓ દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવજીવન આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં 'આદિવાસી સત્યાગ્રહ રેલી'માં હાજરી આપી છે. ત્યાર બાદ તેઓ દાહોદના ગોવિંદનગરસ્થિત સ્વામી વિવેકાનંદ સંકુલમાં કૉંગ્રેસના ધારાસભ્યો અને આદિવાસી નેતાઓ સાથે બેઠક યોજશે.
 
રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસીઓને સંબોધતાં કહ્યું કે "આદિવાસીઓ સાથે શું થઈ રહ્યું છે?"
 
"જળ, જમીન, જંગલ તમારાં છે, આ ગુજરાતની સરકારનાં નથી, આ ગુજરાતનાં મુખ્ય મંત્રીનાં નથી, આ ગુજરાતના ગણતરીના વેપારીઓનાં નથી."
 
"આ તમારાં છે, અને છતાં આ જળ, જમીન, જંગલનો લાભ તમને મળતો નથી."
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
 
ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતને આદિવાસી મતદારો સાથે સંપર્ક અભિયાનના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments