Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહને હત્યાના આરોપી કહેવા અંગે રાહુલ ગાંધી સામે ફરિયાદ

Webdunia
શનિવાર, 27 એપ્રિલ 2019 (12:30 IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનિની વધુ એક ફરિયાદ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં કરવામાં આવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે મધ્યપ્રદેશના જબલપુરમાં યોજાયેલી ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને હત્યા આરોપી ગણાવતું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એ.ડી.સી. બેન્કે પણ રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં કર્યો છે.

ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે માનહાનિની ફરિયાદમાં રજૂઆત કરી છે કે ૨૩મી એપ્રિલના રોજ જબલપુરમાં યોજાયેલી જાહેર સભામાં અમિત શાહ હત્યાના આરોપી હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમનું આ નિવેદન તથ્યથી વિપરિત છે. આ પ્રકારના નિવેદનથી લોકોમાં ખોટો સંદેશો વહેતો થાય છે અને પક્ષની છબી ખરડાય છે.

અરજદારની રજૂઆત છે કે તેઓ પક્ષના અધિકૃત સભ્ય હોવાથી તે આ ફરિયાદ નોંધાવી શકે છે. તેમની તરફેના બે સાક્ષીઓ કોર્ટ સમક્ષ હોવાથી તેની જુબાની પણ લેવામાં આવી હતી. રાહુલ ગાંધીને સામેની ફરિયાદમાં કોર્ટે પગલાં લેવા કે નહીં અને તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવવું કે નહીં તે અંગે ૩૦મી એપ્રિલની સુનાવણીમાં કોર્ટ નિર્ણય જાહેર કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આગળનો લેખ
Show comments