Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ-આરએસએસના એકેય નેતાએ પ્રવિણ તોગડિયાના ખબરઅંતર પૂછયાં નહીં, હાર્દિક,મોઢવાડિયા,વણઝારા સિવાય કોઇ ફરક્યું નહીં

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:49 IST)
ધોતિયાકાંડ-ગોધરાકાંડના હિરો ગણાતાં પ્રવિણ તોગડિયા હોસ્પિટલના બિછાને છે છતાંયે એકેય ભાજપ કે આરએસએસના નેતાએ ખબરઅંતર પૂછ્યા ન હતાં. હાર્દિક પટેલ,અર્જૂન મોઢવાડિયા અને ડી.જી.વણઝારાને બાદ કરતાં કોઇએ હિંદુવાદી નેતાની તબીયત કેવી છે તે જાણવામાં જરાયે રસ દાખવ્યો ન હતો. એન્કાઉન્ટર અને રાજસ્થાન પોલીસની ધરપકડના બીકે પ્રવિણ તોગડિયા આઠ કલાકથી વધુ અજ્ઞાાતવાસમાં રહ્યાં હતાં જેના પગલે વીએચપીના કાર્યકરો લાગણીવશ થઇ રોડ પર ઉતરી આવ્યા હતાં.

આજે જયારે તોગડિયાના ત્રાગા વિશે પોલીસે ખુદ ભાંડો ફોડયો કે, તેઓ ખુદ કોતરપુર સુધી કારમાં ગયા હતાં,ઘેરથી નીકળ્યાં ત્યારે જ ચંદ્રમણિ હોસ્પિટલના ડૉક્ટરને ફોન કરી દેવાયો હતો. આ આખાય નાટક બાદ તોગડિયાને કદાચ એમ હશે કે,ચાહકો,મિત્રો,રાજકીય નેતા,કાર્યકરો તબીયત પૂછવા હોસ્પિટલ પર ઉમટી પડશે પણ આ આખીય વાત ખોટી સાબિત થઇ. હિંદુ હૃદય સમ્રાટને આખોય દિવસ પૂછવા હોસ્પિટલમાં કોઇ ફરક્યુ નહી.ખાસ કરીને એકેય ભાજપનો નેતા-મંત્રી ડોકાયો ન હતો. એવી ચર્ચા ચાલી કે, એવો તો કોનો ડર છેકે, હિતેચ્છુ ય હોસ્પિટલમાં આવતા ડરે છે. સોશિયલ મિડિયામાં ય આ મુદ્દો છવાયો હતો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments