Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 વાગ્યા બાદ ગરબાને લઈ કોઇ ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશેઃ હાઈકોર્ટની સૂચના

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2023 (15:19 IST)
navratri garba
ગુજરાતમાં 12 વાગ્યા સુધી જ ગરબા આયોજન કરવાના નિયમમાં રાજ્ય સરકારે છૂટ જાહેર કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે ખેલૈયાઓ ગુજરાતની સંસ્કૃતિના ભાગરૂપ એવા રાસ ગરબાનો આનંદ વધુમાં વધુ સમય સુધી લઇ શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને સૂચન કર્યું છે. સંઘવીએ કહ્યું કે પોલીસને ખાસ તાકીદ કરવામાં આવી છે કે કોઇપણ ખેલૈયાઓને કે ગરબા રસિકોને કોઇ અગવડ ન પડે અન્યથા ખોટી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે.

આ સમાચારોને લઈને ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ખુશીની લાગણી ફેલાઈ હતી. પરંતું નાગરિકોએ હાઈકોર્ટમાં રજૂઆત કરતા મોડી રાત સુધી ગરબા રમવા અંગે હાઈકોર્ટે હવે સ્પસ્ટ સૂચના આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, લાઉડ સ્પીકરો મોડે સુધી ચાલુ રહેતા લોકો પરેશાન થતા હોવાની ફરિયાદ કરાઈ છે. હવે કોઈ નાગરિકની ફરિયાદ આવશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. પોલીસે અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી નીભાવવી પડશે. હાઈકોર્ટમાં ધ્વની પ્રદૂષણ ફેલાતું હોવાની પણ ફરિયાદ કરાઈ છે. ત્યારે કોર્ટના આદેશ બાદ હવે રાતના બાર વાગ્યા બાદ પોલીસ કાર્યવાહી કરે તો નવાઈ નહીં. ટ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments