Webdunia - Bharat's app for daily news and videos

Install App

Junagadh News - જૂનાગઢમાં દરગાહ પર નોટિસે મચાવ્યો હંગામો, ટોળાએ પોલીસ પર હુમલો કર્યો

Webdunia
શનિવાર, 17 જૂન 2023 (09:28 IST)
police public clash after notice pasted on the dargah in Junagadh
 જૂનાગઢમાં ધાર્મિક સ્થળ (દરગાહ)ને નોટિસ આપવાને લઈને હંગામો થયો છે. દરગાહ પર નોટિસ ચોંટાડ્યા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા અને ભીડમાં આવેલા કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. બીજી તરફ મજેવડી ચોકમાં લોકોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી, પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હતી. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.

<

#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night

(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z

— ANI (@ANI) June 17, 2023 >
 
પોલીસ સાથે ભીડની અથડામણ, મચી ગયો હંગામો
વાસ્તવમાં મજેવડી ગેટની સામે ધાર્મિક સ્થળને ગેરકાયદેસર બાંધકામ ગણાવીને ડિમોલિશનની નોટિસ મુકવા મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. નોટિસ ચોંટાડ્યા પછી, તેને વાંચીને, દરગાહની બહાર ભીડ એકઠી થઈ ગઈ અને લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જ્યારે પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો જેમાં એક Dy SP અને ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા.
 
આથી સ્થિતી વણસે નહીં એ માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, મોડી રાત્રે ટોળું બેકાબુ બન્યું હતું. અને પોલીસ, એસટી બસ, પીજીવીસીએલના વાહનો સહિતની તોડફોડ શરૂ કરી દીધી હતી. આથી પોલીસે બળપ્રયોગ શરૂ કર્યો હતો. જોકે, ટોળાંએ રસ્તા પરની મોટરસાઇકલો સળગાવી દીધી હતી. આ બનાવમાં એક ડિવાયએસપી અને ચાર પીએસઆઇ ઘાયલ થયા હતા.

police public clash after notice pasted on the dargah in Junagadh
 
મનપાએ આપેલી નોટિસ - જૂનાગઢ મનપા દ્વારા આજે બપોર બાદ દરગાહ પર નોટિસ ચોંટાડવામાં આવી જેને પગલે મામલો બિચક્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments