Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીર પરાઈ ફાઉન્ડેશને 1,870 ફૂડ પેકેટનું કર્યું વિતરણ

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (08:00 IST)
કોરોના વાયરસ ફેલાવાને કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે માનવતા સામે મોટુ સંકટ ઉભુ થયું છે. લાખો લોકો રોજગારી વગરના બની ગયા છે. ભોજનની ઉપલબ્ધી પણ મુશ્કેલ બની છે. પરંતુ આવી સંકટની ઘડીઓમાં ઘણી સંસ્થાઓ આગળ આવી છે અને અસર પામેલા લોકોને સહાય માટે પોતાનુ ઉત્તમ યોગદાન આપી રહ્યાં છે.
 
અમદાવાદનુ પીર પરાઈ ફાઉન્ડેશન આવી જ એક સંસ્થા છે. પીર પરાઈ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ શરદ અગ્રવાલ જણાવે છે કે “સોમવારે અમારા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ નારણપુરા, મેમનગર, સિંધુભવન રોડ, ગોમતીપુર, વસ્ત્રાપુર અને શહેરના અન્ય ભાગોમાં જરૂરિયાતમંદ લોકોને 1,800થી વધુ પેકેટ પુરી-શાકનુ વિતરણ કર્યું હતું. ફાઉન્ડેશને ઓગણજમાં એક ગોડાઉનમાં ફસાયેલા 15 કામદારોનો સંદેશો મળતાં તેમને ફૂડ પેકેટ પૂરાં પાડયાં હતાં. ફાઉન્ડેશને ચાલીને પોતાના વતન રાજસ્થાનમાં જતા અનેક કામદારોને ફૂડ પેકેટસ અને પાણીની બોટલોનુ વિતરણ કર્યું હતું.
પીર પરાઈ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ શરદ અગ્રવાલ વધુમાં જણાવે છે કે આગામી દિવસોમાં ફૂડ પેકેટનુ વિતરણ ચાલુ રાખવામાં આવશે તથા જરૂર પ્રમાણે તેમાં વધારો કરવામાં આવશે. ફાઉન્ડેશને આ કામગીરીમાં ભોજન તથા નાણાંકીય સહાય પૂરી પાડનાર લોકોનો  ઉમદા ઉદ્દેશમાં સહાય કરવા બદલ આભાર માન્યો છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments