Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીર પરાઈ ફાઉન્ડેશને 1,870 ફૂડ પેકેટનું કર્યું વિતરણ

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (08:00 IST)
કોરોના વાયરસ ફેલાવાને કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે માનવતા સામે મોટુ સંકટ ઉભુ થયું છે. લાખો લોકો રોજગારી વગરના બની ગયા છે. ભોજનની ઉપલબ્ધી પણ મુશ્કેલ બની છે. પરંતુ આવી સંકટની ઘડીઓમાં ઘણી સંસ્થાઓ આગળ આવી છે અને અસર પામેલા લોકોને સહાય માટે પોતાનુ ઉત્તમ યોગદાન આપી રહ્યાં છે.
 
અમદાવાદનુ પીર પરાઈ ફાઉન્ડેશન આવી જ એક સંસ્થા છે. પીર પરાઈ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ શરદ અગ્રવાલ જણાવે છે કે “સોમવારે અમારા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ નારણપુરા, મેમનગર, સિંધુભવન રોડ, ગોમતીપુર, વસ્ત્રાપુર અને શહેરના અન્ય ભાગોમાં જરૂરિયાતમંદ લોકોને 1,800થી વધુ પેકેટ પુરી-શાકનુ વિતરણ કર્યું હતું. ફાઉન્ડેશને ઓગણજમાં એક ગોડાઉનમાં ફસાયેલા 15 કામદારોનો સંદેશો મળતાં તેમને ફૂડ પેકેટ પૂરાં પાડયાં હતાં. ફાઉન્ડેશને ચાલીને પોતાના વતન રાજસ્થાનમાં જતા અનેક કામદારોને ફૂડ પેકેટસ અને પાણીની બોટલોનુ વિતરણ કર્યું હતું.
પીર પરાઈ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ શરદ અગ્રવાલ વધુમાં જણાવે છે કે આગામી દિવસોમાં ફૂડ પેકેટનુ વિતરણ ચાલુ રાખવામાં આવશે તથા જરૂર પ્રમાણે તેમાં વધારો કરવામાં આવશે. ફાઉન્ડેશને આ કામગીરીમાં ભોજન તથા નાણાંકીય સહાય પૂરી પાડનાર લોકોનો  ઉમદા ઉદ્દેશમાં સહાય કરવા બદલ આભાર માન્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments